ટોપ ન્યૂઝટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

વિનેશને ઓલિમ્પિક મેડલ મળવાની શક્યતા, CASને કરવામાં આવેલી અપીલ સ્વીકારવામાં આવી 

Text To Speech

નવી દિલ્હી, 8 ઓગસ્ટ: ભારતીય મહિલા કુસ્તીબાજ એથ્લેટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ગોલ્ડ મેડલ મેચ પહેલા નિર્ધારિત વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ નિર્ણય બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશને જોરદાર વાંધો ઉઠાવ્યો હતો, અને વિનેશ પણ ખૂબ નિરાશ હતી. વિનેશ ફોગાટે આ નિર્ણય અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CSA)ને અપીલ કરી હતી કે તેને ઓછામાં ઓછો સિલ્વર મેડલ આપવામાં આવે, જેના પર CSAએ હવે તેની અપીલ સ્વીકારી લીધી છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. આવી સ્થિતિમાં આશા છે કે તે ઓલિમ્પિક મેડલ મેળવી શકે છે.

વિનેશે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો
જ્યારે વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024 માં ગોલ્ડ મેડલ મેચ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું, ત્યારે તે ઓલિમ્પિકના ઈતિહાસમાં કોઈપણ કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ મેચ રમનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની, પરંતુ મેડલ મેચ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી. સવારે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તે નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હતું, આવી સ્થિતિમાં વિનેશને સ્પર્ધા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તેનું વજન ઘટાડવા માટે, વિનેશે જોગિંગ કર્યું, સાયકલ ચલાવી અને સ્પર્ધાની આગલી રાતે તેના વાળ અને નખ પણ કાપી નાખ્યા, પરંતુ તે હજી પણ માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે મેચથી બહાર કરાઇ હતી.

વિનેશ ફોગાટે નિવૃત્તિ જાહેર કરી
જ્યારે વિનેશ ફોગાટ ગેરલાયક ઠર્યા બાદ ખૂબ જ નિરાશ હતી, તેણે પણ 8મી ઓગસ્ટની સવારે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. વિનેશે કોમનવેલ્થથી લઈને એશિયન ગેમ્સ સુધી કુસ્તીમાં મેડલ જીત્યા છે. જ્યારે તેણીને વર્ષ 2016 માં ભારત સરકાર તરફથી અર્જુન એવોર્ડ મળ્યો હતો, તો વર્ષ 2020 માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ પણ મળ્યો હતો. તેમની નિવૃત્તિ સમગ્ર દેશ માટે એક મોટો આંચકો હતો. જોકે, હવે એવી આશા છે કે CSAનો નિર્ણય વિનેશના પક્ષમાં આવશે અને તેને મેડલ મળશે. જો આવું થશે તો સમગ્ર ભારત માટે આ ગૌરવની ક્ષણ હશે.

આ પણ વાંચો :‘જો મોદીજી રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકે તો…’, રણદીપ સુરજેવાલાએ વિનેશ ફોગટ માટે કરી આ મોટી માંગ

Back to top button