ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજ્યસભાની 12 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત, જાણો ચૂંટણી કાર્યક્રમ

Text To Speech
  • રાજ્યસભાની આબેઠકો પર પેટાચૂંટણી 3 સપ્ટેમ્બરના રોજ યોજાશે

નવી દિલ્હી, 7 ઓગસ્ટ: ભારતના ચૂંટણીપંચે રાજ્યસભાની 12 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. 3 સપ્ટેમ્બરે આ પેટાચૂંટણી યોજાશે. 14 ઓગસ્ટથી ઉમેદવારી દાખલ કરી શકાશે. 21 ઓગસ્ટ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 અને 27 ઓગસ્ટ છે. જ્યારે આ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી 22 ઓગસ્ટે થશે.

કયાં-કયાં રાજ્યોમાં ચૂંટણી યોજાશે?

રાજ્યસભાની પેટાચૂંટણી આસામ અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો અને બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશામાં એક-એક બેઠક પર યોજાશે. હરિયાણા, આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશામાં ભાજપના ઉમેદવાર જીતે તેવી શક્યતા છે કારણ કે આ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને સંખ્યા ભાજપની તરફેણમાં છે.

રાજ્યસભાના કયા સભ્યો લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે?

કેન્દ્રીય પ્રધાનો પીયૂષ ગોયલ, સર્બાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, દીપેન્દ્ર હુડ્ડા, મીસા ભારતી, બિપ્લબ કુમાર દેબ, કે.સી. વેણુગોપાલ સહિત હાલના સભ્યો લોકસભા માટે ચૂંટાવાને કારણે રાજ્યસભાની 10 બેઠકો ખાલી પડી હતી. જ્યારે સભ્યોના રાજીનામાના કારણે બે બેઠકો ખાલી પડી છે.

આ પણ જૂઓ: #Heartbreaking વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થતા રડ્યાં કરોડો દિલ, સોશિયલ મીડિયા પર લોકોનું દુ:ખ છલકાયું

Back to top button