ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત સરકારે 15મી ઓગસ્ટ સુધી ફિશિંગ બંધ કરવા નિર્ણય કર્યો

  • માછલી પ્રોસેસ કંપની કે બરફ્ના કારખાનામાં જે લોકો આવી ગયા છે તેને કંપનીના માલિકોએ 15 દિવસ સાચવવા પડશે
  • આ નિર્ણય અયોગ્ય હોવાના દાવા સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખાયો છે
  • ફિશિંગ બંધના નિર્ણયથી 5 લાખ લોકોની રોજગારી ઉપર અસર થશે

ગુજરાત સરકારે 15મી ઓગસ્ટ સુધી ફિશિંગ બંધ કરવા નિર્ણય કર્યો છે. 15 ઓગસ્ટ સુધી ફિશિંગ બંધના નિર્ણયથી 5 લાખ લોકોની રોજગારી ઉપર અસર થશે. ગુજરાતમાં બંધ સિઝનમાં રાહત મળે તેવી કોઈ યોજના નથી. તેમજ ગુજરાત સિવાય બીજા રાજ્યમાં 1 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ દર્શન કરવા AMTSની સામાન્ય ચાર્જ સાથે સેવા શરૂ 

આ નિર્ણય અયોગ્ય હોવાના દાવા સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખાયો છે

ગુજરાત સરકારે 15મી ઓગસ્ટ સુધી ફિશિંગ બંધ કરવા નિર્ણય કર્યો છે, જોકે આ નિર્ણય અયોગ્ય હોવાના દાવા સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખાયો છે,જેમાં દાવો કરાયો છે કે, માછીમારો સહિત સીધી કે આડકતરી રીતે પાંચ લાખ જેટલા લોકો 15 દિવસ માટે બેરોજગાર બનશે. ગુજરાત સિવાય બીજા રાજ્યમાં 1 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ થઈ છે. તો બીજા રાજ્યના માછીમારો ગુજરાતના દરિયામાં માછીમારી કરશે તેના માટે જવાબદાર કોણ? બીજા રાજ્યમાં 60 દિવસ માછીમારી બંધ સીઝનમાં માછીમાર સમુદાય માટે ત્યાંની સરકાર દ્વારા યોજના ચાલુ છે, જ્યારે ગુજરાતમાં માછીમારોને બંધ સિઝનમાં રાહત મળે તેવી કોઈ યોજના નથી.

માછલી પ્રોસેસ કંપની કે બરફ્ના કારખાનામાં જે લોકો આવી ગયા છે તેને કંપનીના માલિકોએ 15 દિવસ સાચવવા પડશે

માછલી પ્રોસેસ કંપની કે બરફ્ના કારખાનામાં જે લોકો આવી ગયા છે તેને કંપનીના માલિકોએ 15 દિવસ સાચવવા પડશે, જે આર્થિક ખર્ચ ઉઠાવવો પડશે, ગુજરાત સરકાર દ્વારા 15 ઓગસ્ટ સુધી ફ્શિીંગ બંધનો નિર્ણય અવિચારી છે. સરકારે માછીમારીની મંજૂરી કેમ આપવી જોઈએ તેના કારણો અંગે કહેવાયું છે કે, તા.31/07/2024ના બપોરે 12 વાગ્યે ફ્શિરીઝ કમિશનરનો પરિપત્ર આવે છે કે તા. 1, 2 અને 3 ઓગસ્ટના રોજ હવામાન ખરાબ છે તો ફિશિંગમાં જવા ટોકન મળશે નહિ અને સાંજે 7 વાગ્યે વોટસએપ પર પરિપત્ર આવે છે કે 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ છે. માછીમારી સીઝન 1 ઓગસ્ટે ચાલુ થવાની છે એમ માની 15/07ના રોજ વલસાડ, કોટડા, ઉના, દીવ, વેરાવળ, પોરબંદર, જામનગરના માછીમારો કચ્છના જખૌ પહોંચ્યા એમ અલગ અલગ બંદરો પર બધા માછીમારો પહોંચ્યા હતા, બીજા રાજ્યમાંથી ખલાસી, ટંડેલ કે મજૂરી કામ માટે આવનારાએ ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ અગાઉથી કરી હતી, હવે તેઓ ગુજરાત આવી ગયા પણ 15 દિવસ બેરોજગાર બેસવું પડશે, તેમ વિપક્ષે જણાવ્યું છે. 12 નોટિકલ માઈલ સુધી ગુજરાતની જળસીમા છે તેના સિવાયના દરિયામાં માછીમારી થશે તો જવાબદાર કોણ ગણાશે.

Back to top button