અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: પતિના નશો કરવાની આદતથી કંટાળી પત્નીએ સાડીનાં દુપટ્ટાથી ગળે ફાંસો આપી હત્યા કરી

Text To Speech

અમદાવાદ  03 ઓગસ્ટ 2024 : અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકા બારેજા તડવી વાસ ખાતે પતિની નશો કરવાની આદતથી કંટાળી ગઈ તથા વારંવાર આર્થિક બાબતે ઝઘડા થતાં પત્નીએ રાત્રે ઊંઘતા સમયે પોતાના પતિને સાડીના દુપટ્ટાથી ગળે ફાંસો આપી મોતની નિપજાવી વડોદરા ભાગી જતા અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે અંગે ફરાર પત્નીને વડોદરા ખાતેથી અસલાલી પોલીસે પકડી પાડી નવા કાયદા BNS 103 ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પતિ વારંવાર નશો કરતા પત્ની કંટાળી જતા કરી હત્યા

અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી મેઘા તેવાર પત્રકારોની માહિતી આપતા જણાવ્યું હતું કે મરણ જનાર કિરણભાઈ સુમનભાઈ તડવી જે ગઈ 30 જુલાઈનાં સાંજના 6: 30 વાગ્યેનાં હર્ષામાં ડાબી આંખના ઉપરના ભાગે કોઈ કારણસર ઈજા થતા ખાનગી દવાખાનામાં સારવાર કરાવી ઘરે પરત આવી એને 31 જુલાઈની સાંજે આશરે 9:15 પોતાના ઘરે શેટી પલંગ ઉપર ગળે ફાંસો થયેલી મૃત હાલતમાં પડ્યા હોવાનું બનાવ બન્યો હતો. જે બનાવની જાણ અસલાલી પોલીસને થતા તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછ શરૂ કરતાં સામે આવ્યું હતું કે કિરણભાઈ તડવીને તેના પત્ની રેખાબેન કિરણભાઈ તડવી સાથે કેટલાય સમયથી મનદુઃખ, તથા ઝઘડાઓ ચાલતા હતા. જેના કારણે રેખાબેને પોતાના પતિને રાતે ઊંઘતા સમય ઘરમાં પડેલા સાડીના દુપટ્ટાથી ફાંસી આપી પોતાના બંને બાળકોને લઈ જઈ વડોદરા ખાતે જતા રહ્યા હતા. જે માહિતી મળતા પોલીસે વડોદરા જઈને રેખાબેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પતિ પત્ની કડિયાનું કામ કરતા હતા

રેખાબેનની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પતિ કિરણભાઈ તડવી અને તેની પત્ની રેખાબેન તડવી બંને છૂટક કડિયા કામ કરતા હતા. પોતાના પતિને નશો કરવાની આદત હોવાથી પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતાં હતાં. તેમજ મહેનતના રૂપિયા નશામાં ઉડાવી દેતા પત્નીના કંટાળી જતા પત્નીએ પતિની હત્યા નીપજાવી હતી. ડીવાયએસપી તેવારે ઉમેર્યું હતું કે રેખાબેનના બંને બાળકો હર્ષ જેની ઉંમર 10 વર્ષ અને રોનક જેની ઉંમર 7 વર્ષ છે તેઓને આરોપીની બહેન પાસે હાલ રાખવામાં આવ્યા છે વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો : વ્યાજખોરો સામેની ડ્રાઈવમાં 565 આરોપીઓ સામે 323 ગુના દાખલ, 343ની અટકાયત

Back to top button