વર્લ્ડ

આર્થિક કટોકટી, સ્થિરતા, વિદેશી સહાય! ક્યાં જઈ રહ્યું છે શ્રીલંકા ?

Text To Speech

શ્રીલંકામાં ભારે રાજકીય ઉથલપાથલ બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે, તો પણ દેશની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની આગેવાની હેઠળની કેબિનેટ, 23 જુલાઈ શનિવારના રોજ પ્રથમ વખત મળી હતી અને આર્થિક સંકટ સામે લડી રહેલા દેશમાં એક અઠવાડિયાની અંદર પરિસ્થિતિને સામાન્ય બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી. વિક્રમસિંઘ પ્રશાસન માટે રસ્તો સરળ નથી. શ્રીલંકાની નવી સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર શનિવારે થયેલા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સમુદાય, માનવાધિકાર સંગઠનો અને વિપક્ષ તરફથી નવા દબાણનો સામનો કરી રહી છે.

તેની સાથે જ શ્રીલંકા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)વચ્ચેની આગામી ચર્ચાના રાઉન્ડને લઈને થઈ રહેલા પ્રશ્નો એમજ છે. શ્રીલંકા IMF પાસેથી $3 બિલિયનનું બેલઆઉટ પેકેજ મેળવવા માંગે છે જેથી વિદેશી ભંડારથી સર્જાયેલી આર્થિક કટોકટીનો સામનો કરી શકે. દ્વિપ રાષ્ટ્રે IMF સાથે ચર્ચાના ઘણા રાઉન્ડ યોજ્યા છે, પરંતુ હવે તેની નાદારીને જોતા પરિસ્થિતિ અલગ છે. જોકે, બુધવારે IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સંસ્થા શ્રીલંકા સાથે “શક્ય તેટલી વહેલી તકે” મંત્રણા પૂર્ણ કરવાની આશા રાખે છે.

srilanka and imf

સરકારે IMFને આ ખાતરી આપવી પડશે?

વિક્રમસિંઘે વહીવટીતંત્ર ઓગસ્ટ સુધીમાં IMFને દેવાના પુનર્ગઠન અંગેનો અહેવાલ સુપરત કરવાની યોજના બનાવી રહ્યું છે. વધુ મહત્ત્વની વાત એ છે કે સરકારે ખાતરી આપવી પડશે કે દેવાની સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં આવશે. સરળ શબ્દોમાં, તે બતાવવાનો હેતુ છે કે શ્રીલંકા તેના દેવાની ચૂકવણી કરવાની તેની ક્ષમતા સાથે નાણાંની જરૂરિયાતને સંતુલિત કરી શકે છે. આ ઉપરાંત, શ્રીલંકા IMF મંત્રણામાં એક મોટું પરિબળ વિક્રમસિંઘે વહીવટીતંત્રની સ્થિરતા અને તેનું જાહેર સમર્થન હશે. આ મુદ્દે વિક્રમિંઘે પ્રશાસનને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિક્રમસિંઘેની લોકપ્રિયતા પર ઘણા પ્રશ્નો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્રમસિંઘેની ચૂંટણી દરમિયાન, વિરોધીઓ કોલંબોમાં “ગો, રાનીલ, ગો” ના નારા લગાવી રહ્યા હતા. વિક્રમસિંઘે વડા પ્રધાન બન્યા પછી જ તેમની સામે વિરોધ શરૂ થયો હતો. ગોટાબાયા રાજપક્ષે સાથે વિક્રમસિંઘેની નિકટતાને કારણે, વિરોધીઓએ તેમની ઓફિસ પર હુમલો કર્યો અને PM તરીકે તેમના રાજીનામાની માંગ કરી.

કેબિનેટ બેઠકમાં શું થયું ?

રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના નેતૃત્વમાં નવી કેબિનેટની શનિવારે બેઠક મળી હતી. ડેઈલી મિરર અખબારે સૂત્રોને ટાંકીને કહ્યું કે, તેઓએ ચર્ચા કરી કે દેશમાં વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ સચિવાલય જેવી સરકારી સંસ્થાઓ અને શાળાઓના કામકાજને નિયમિત કરીને એક સપ્તાહની અંદર સ્થિતિ સામાન્ય થઈ જવી જોઈએ. કેબિનેટને જણાવવામાં આવ્યું હતું કે, એક મહિના માટે પૂરતું બળતણ છે અને ક્વોટા સિસ્ટમ હેઠળ વિતરણને ઝડપી બનાવવું જોઈએ.

srilanka Crisis

શાંતિપૂર્ણ વિરોધીઓ પર હુમલા બાદ નવી સરકાર દબાણ હેઠળ

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેના આદેશ પર શુક્રવારે વહેલી સવારે કોલંબોમાં રાષ્ટ્રપતિ કાર્યાલયની બહાર છાવણી કરી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓને બળજબરીથી ખસેડવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોએ બે પત્રકારો અને બે વકીલો પર પણ હુમલો કર્યો હતો. અધિકારીઓએ દેખાવકારો અને વકીલો સહિત 11 લોકોની ધરપકડ પણ કરી છે. ત્યારથી શ્રીલંકાની સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણનો સામનો કરી રહી છે. વૈશ્વિક અધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વોચે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ તરત જ સુરક્ષા દળોને દેખાવકારો વિરુદ્ધ તમામ ગેરકાયદેસર બળનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપવો જોઈએ. તેણે નિયમહીન રીતે કસ્ટડીમાં લેવાયેલા તમામ પ્રદર્શનકારીઓને મુક્ત કરવાની અને ગેરવર્તણૂક માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.

શ્રીલંકામાં અમેરિકી રાજદૂત જુલી ચુંગે ટ્વીટ કર્યું, “અમે અધિકારીઓને સંયમમાં રાખવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય આપવા વિનંતી કરીએ છીએ.” શ્રીલંકામાં બ્રિટિશ હાઈ કમિશનર સારાહ હલ્ટને કહ્યું, “અમે શાંતિપૂર્ણ વિરોધના અધિકારના મહત્વને સ્પષ્ટ કર્યું છે.”
આ ઘટના નવનિયુક્ત રાષ્ટ્રપતિ અને સરકાર માટે મોટો આંચકો છે.

Back to top button