ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પીરાણા ધામમાં સમાધિઓ તોડનાર સામે પગલાં લેવા રબારી સમાજની માંગ

Text To Speech

બનાસકાંઠા 28 મે 2024: સમગ્ર રબારી સમાજની ગુરુગાદી પીરાણા ધામમાં તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વોએ સંતો મહંતોની સમાધીઓની તોડફોડ કરતાં રબારી સમાજની લાગણી દુભાઇ છે. ત્યારે ડીસામાં રબારી સમાજની સુરાબાવાની જગ્યા દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અમદાવાદ નજીક પીરાણા ધામ માં તાજેતરમાં સંતો મહંતોની સમાધિઓની કેટલાક કટરપંથી તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેનાથી સમગ્ર હિંદુ સનાતનની સતપંથ રબારી સમાજ ની લાગણીને ઠેસ પહોંચી છે. આ સ્થળ તમામ હિન્દુ સનાતન સતપંથ ધર્મમાં માનનારાઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. જેથી આ જગ્યાના સદગુરુઓ અને આરાધ્ય દેવો તેની સમાધિઓ તોડનાર અને આ અસામાજિક કૃત્ય કરનાર સામે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવાય તેમ જ સમાધિઓનું પુનઃ સ્થાપન કરવાની માંગ સાથે ડીસાના આસેડા સુરાબાવાની જગ્યા ના રબારી સમાજ દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : બનાસકાંઠા : જુના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ કવાટર્સમાં આગ લાગતાં દોડધામ

Back to top button