ગુજરાતટોપ ન્યૂઝ

તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની જામીન અરજીનો નિર્ણય અનામત, મંગળ કે બુધવારે ચુકાદો આવી શકે છે

Text To Speech

ગુજરાત રમખાણ કેસમાં ધરપકડ કરાયેલા તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે કરેલી જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમાર સામેના પ્રાથમિક પુરાવા કોર્ટના રેકોર્ડ પર મૂક્યા. સરકારી વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓને જામીન આપવામાં આવે તો કેસની તપાસને અસર થઈ શકે છે.

સરકારે રજૂઆત કરી હતી કે, હાલ કેસની તપાસ ચાલી રહી છે, તપાસનો તબક્કો છે અને આરોપીઓ વગદાર તેમજ કેસની તપાસને અસર પાડી શકે છે. ત્યારે આ સંજોગોમાં જામીન ન આપવા જોઈએ. રાજકીય પક્ષ સાથેનું મેળાપીપળું અને અન્ય બાબતો પણ જામીન અરજીના વિરોધમાં કરવામાં આવી છે.

તીસ્તા સેતલવાડે પોતે સ્ત્રી હોવાથી જામીન આપવાની માંગણી કરી. જોકે સરકારે આ રજૂઆતનો પણ વિરોધ કર્યો હતો. પોતાના પર ખોટો કેસ થયો હોવાની તીસ્તા અને આર બી શ્રીકુમારે રજૂઆત કરી અને આ તબક્કે જામીન મંજૂર કરવા જોઈએ તેવી રજૂઆત કરી હતી.

મહત્વનું છે કે, સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. આગામી મંગળવાર અથવા બુધવારે સેશન્સ કોર્ટ ચુકાદો આપી શકે છે.

Back to top button