ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં ભરઉનાળે પાણીકાપ ઝીંકાયો, 10 લાખ લોકોને નહીં મળે પાણી

Text To Speech
  • શહેરના લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે
  • DGVCL અને SMCની કામગીરીના કારણે ગરમીમાં પાણીની મોકાણ
  • સવારે 10 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ફીડરનું શટડાઉન રહેશે

સુરતમાં ભરઉનાળે પાણીકાપ ઝીંકાયો છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારના 10 લાખ લોકોને આવતી કાલે પાણી મળશે નહિ. DGVCL-SMCની કામગીરીના કારણે પાણીકાપ આપવામાં આવ્યો છે. તેમાં સવારે 10 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ફીડરનું શટડાઉન રહેશે. તેમજ કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરીજનોને સેવા પૂરી પાડતી બેફામ દોડતી AMTSની બસની સ્પીડ નિયંત્રિત કરવામાં આવશે

DGVCL અને SMCની કામગીરીના કારણે ગરમીમાં પાણીની મોકાણ

શહેરના સરથાણા, ઉધના ઝોન, વરાછામાં પાણીકાપ છે. તથા લિંબાયત ઝોનના અનેક વિસ્તારમાં પાણીકાપ અપાશે. શહેરના દસ લાખ લોકોને આવતી કાલે પાણી મળશે નહિ. જેમાં DGVCLના ફીડરની કામગીરીને કારણે પાણી કાપ આપવામા આવ્યો છે. DGVCL તથા SMCની કામગીરીના કારણે ગરમીમાં પાણીની મોકાણ છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ રો- વોટર લઈ જતી નળીના લીકેજની કામગીરી પણ થશે. તેમજ DGVCL તરફથી સવારે 10 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ફીડરનું શટડાઉન રહેશે.

શહેરમાં પાણી કાપનો સામનો કરવો પડશે

એક દિવસ માટે જરૂર મુજબનો પાણી પુરવઠોનો સંગ્રહ કરવા લોકોને અપીલ કરાઇ છે. જેમાં કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ કરી છે. ગુજરાતમાં ઉનાળા આકરો બન્યો છે, તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે, ત્યારે હવે સુરતવાસીઓને આવા સમયે વધુ એક સમસ્યાનો સામનો કરવો પડશે. ખરેખરમાં, સુરતમાં ત્રણ ઝોનમાં આવતી કાલે પાણી કાપ રહેશે, આવતીકાલથી શહેરમાં કેટલાક ઠેકાણે વોટર પ્લાન્ટ તરફની મુખ્ય લાઇન લીકેજ થઇ હોવાનું સામે આવ્યુ છે, જેને રિપેરિંગ કરાતી હોવાથી શહેરમાં પાણી કાપનો સામનો કરવો પડશે.

Back to top button