ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાંચ એકરમાં વાવેલા ઘઉંના ખેતરમાં આગ ફાટી નીકળી, પાક બચાવવાના પ્રયાસમાં ખેડૂત જીવતો ભૂંજાયો

Text To Speech

ચરખી દાદરી (હરિયાણા), 24 એપ્રિલ: હરિયાણાના ચરખી દાદરીમાં એક ખેડૂતનું દુઃખદ અવસાન થયું. હકીકતમાં ખેડૂતના ઘઉંના ખેતરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. આ પછી જ્યારે ખેડૂત ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેણે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ દરમિયાન તે ગંભીર રીતે દાઝી ગયો, ત્યારબાદ ખેડૂતે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ ખેડૂતના ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બીજી તરફ, આગના કારણે પાંચ એકરમાં ઉભો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.

પાકને બચાવવામાં ખેડૂતે જીવ ગુમાવ્યો

ખરેખર મંગળવારે બપોરે સંતોર ગામના ઘઉંના ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ખેતરોમાં આગની માહિતી મળતાં ખેડૂતો તેમના ટ્રેક્ટર સાથે ત્યાં પહોંચ્યા હતા અને ખેડાણ કરીને આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન 45 વર્ષીય ખેડૂત જયપ્રકાશ ખેતરમાં ઊભેલા પાકને બચાવવા અને આગ બુઝાવવાના પ્રયાસમાં પોતે આગની લપેટમાં આવી ગયા હતા. માહિતી મળતા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ખેડૂત જયપ્રકાશ ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

બીજેપી નેતા બબીતા ​​ફોગટે મૃતકના પરિજનોને મળીને સાંત્વના પાઠવી

ઘટનાની માહિતી મળતાં જ સદર પોલીસ સ્ટેશને ખેતરોમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ખેડૂતના મૃતદેહને કબજામાં લઈ સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. મૃતકના સંબંધીઓ સતબીર અને સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ખેડૂત જયપ્રકાશનું ખેતરોમાં આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ થયું હતું. જ્યારે પૂર્વ મંત્રી સતપાલ સાંગવાન અને બીજેપી નેતા બબીતા ​​ફોગટે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને સાંત્વના આપી અને પ્રશાસન પાસેથી મામલાની તપાસ કરીને યોગ્ય વળતરની માંગ કરી.

આ પણ વાંચો: દેશમાં આ વખતે ચોમાસુ સામાન્ય કરતાં વધુ સારૂ રહેશેઃ જાણો ખેડૂતોને ફાયદો થશે કે નુકસાન

Back to top button