ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ઈરાન-ઈઝરાયેલના તણાવ વચ્ચે ભારતીય શેરબજાર કડકભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો

Text To Speech

મુંબઈ, 15 એપ્રિલ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે ભારતીય શેરબજારમાં આજે એટલે કે 15મી એપ્રિલના રોજ ભારે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. શેરબજારના બંને ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા છે. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર અને નિફ્ટી 216.9 પોઈન્ટ ઘટીને 22,302.50 પર છે.

સેન્સેક્સ લિસ્ટેડ કંપનીમાં નુકસાન થયું

સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સ, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને એશિયન પેઈન્ટ્સના શેરમાં સૌથી વધુ નુકસાન થયું હતું, જ્યારે આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં લગભગ એક ટકાનો વધારો થયો હતો. આ સિવાય નેસ્લે અને એચસીએલ ટેક્નોલોજીના શેર પણ નફાકારક રહ્યા હતા.

ગયા અઠવાડિયે સેન્સેક્સની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી સાતનું માર્કેટ વેલ્યુએશન (માર્કેટ કેપ) 59,404.85 કરોડ રૂપિયા વધ્યું હતું. ગયા અઠવાડિયે રેકોર્ડ બ્રેકિંગ રેલી પછી, સેન્સેક્સમાં 3.32 પોઈન્ટનો થોડો ઘટાડો થયો હતો, જ્યારે BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ બુધવારે તેની સર્વકાલીન ઉચ્ચતમ 75,038.15 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે મંગળવારે તે તેના સર્વકાલીન સ્તરે પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન 75,124.28 પોઈન્ટની ઊંચી સપાટીએ હતો.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ એપ્રિલના પ્રથમ બે સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં રૂ. 13,300 કરોડનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ આ મહિને (12 એપ્રિલ સુધી) ભારતીય શેર્સમાં ચોખ્ખું રૂ. 13,347 કરોડનું રોકાણ કર્યું છે.

આ પણ વાંચો: ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે આવ્યું ભારત, ડૉ. જયશંકરે બંને દેશોને શું કહ્યું? જાણો

Back to top button