ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રશાંત કિશોરે એવું તો શું કહ્યું કે, કોંગ્રેસ સાથે I.N.D.I.A. એલાયન્સનું પણ વધ્યું ટેંશન?

નવીદિલ્હી, 7 માર્ચ : લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર નિશાન સાધે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ ચૂંટણીમાં 400 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વખતે પાર્ટીની નજર દક્ષિણના રાજ્યની વોટબેંક પર છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે સત્તારૂઢ ભાજપ દક્ષિણ અને પૂર્વ ભારતમાં મોટો ફાયદો ઉઠાવશે. તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં ભાજપની વોટબેંક વધશે.

‘ભાજપ બંગાળમાં પણ નંબર-1ની પાર્ટી બનશે’

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પ્રશાંત કિશોરે કહ્યું, “વિપક્ષ પાસે બીજેપીના રથને રોકવાની ઘણી તકો હતી, પરંતુ ખોટા નિર્ણયને કારણે તેઓએ તમામ તકો ગુમાવી દીધી. બીજેપી તેલંગાણામાં પ્રથમ અથવા બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.”જે એક મોટી વાત છે. તેઓ (ભાજપ) ઓડિશામાં મહત્તમ બેઠકો જીતશે.” તેમણે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ નંબર વન પાર્ટી બનવા જઈ રહી છે તેવી પૂરી સંભાવના છે. તમિલનાડુમાં બીજેપીનો વોટ શેર બે આંકડામાં પહોંચી શકે છે.

પ્રશાંત કિશોરે કહ્યું, “તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, બિહાર અને કેરળમાં મળીને કુલ 204 લોકસભા બેઠકો છે, પરંતુ ભાજપ આ વિસ્તારોમાં 50 બેઠકો પણ જીતી શકી નથી. 2014ની લોકસભામાં સભા ચૂંટણીમાં, “ભાજપે આ વિસ્તારોમાં 29 બેઠકો જીતી હતી જ્યારે 2019 માં તેણે 47 બેઠકો જીતી હતી.”

‘જગન મોહન રેડ્ડીની વાપસી મુશ્કેલ’

લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આ અંગે પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, “જગન મોહન રેડ્ડી માટે પુનરાગમન કરવું મુશ્કેલ હશે. તેમણે યુવાનોને નોકરીઓ આપવા અથવા રાજ્યના અટકેલા વિકાસને પ્રોત્સાહન આપવા માટે કંઈ કર્યું નથી. પ્રશાંત કિશોરે વર્ષ 2019માં જગન મોહન રેડ્ડી માટે કામ કર્યું હતું. તે સમયે તેમની YSRC પાર્ટીએ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને હરાવી હતી, જે હવે ભાજપની સાથી છે.

ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ અને પૂર્વ ભારતમાં પોતાનો વિસ્તાર કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ રાજ્યોની સતત મુલાકાત લઈ રહ્યા છે. બીજી તરફ આ રાજ્યોમાં વિરોધનો કોઈ મોટો ચહેરો જોવા મળ્યો નથી. છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે વિપક્ષી નેતાઓ કરતાં વધુ તમિલનાડુની મુલાકાત લીધી છે.

આઝાદી પછી પહેલીવાર આ 24 ગામમાં નહીં થાય મતદાન, જાણો શું છે કારણ

Back to top button