ટોપ ન્યૂઝનેશનલ

પંજાબના CM માનની કેજરીવાલ સાથે આવતા સપ્તાહે થઈ શકે છે મુલાકાત

Text To Speech

નવી દિલ્હી, 6 એપ્રિલ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળી શકે છે. મુખ્યમંત્રી માન આવતા અઠવાડિયે સીએમ કેજરીવાલને મળે તેવી શક્યતા છે. તેમનું નામ પણ એ લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે જેઓ CM કેજરીવાલને મળવા જેલમાં જઈ શકે છે.

લિકર પોલિસી કેસમાં જેલમાં ધકેલાયા કેજરીવાલ

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત મહિનાના અંતમાં મુખ્યમંત્રી કેજરીવાલની ED દ્વારા લિકર પોલિસી કેસ સંદર્ભે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશ બાદ અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. કેજરીવાલને તિહાર જેલ નંબર 2ની બેરેકમાં એકલા રાખવામાં આવ્યા છે. કેજરીવાલને જે બેરેકમાં રાખવામાં આવ્યા છે તે 14 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી છે. તેમાં ટીવી લગાવેલું છે, સિમેન્ટનું બનેલું ઊંચું પ્લેટફોર્મ છે. બેરેકની બહાર દરેક સમયે ચાર સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. કેજરીવાલે જેલમાં અભ્યાસ કરવા માટે કોર્ટ પાસેથી 3 પુસ્તકોની માંગણી કરી હતી.

10 લોકોને મળવાની હોય છે પરવાનગી

ઉલ્લેખનીય છે કે અગાઉ જયારે કેજરીવાલને જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે તેમને જેલમાં મળવા માટે 6 લોકોના નામ આપ્યા હતા. નિયમો અનુસાર જેલમાં જતો કોઈપણ કેદી 10 લોકોના નામ જેલ પ્રશાસનને આપી શકે છે જેમને તે જેલમાં હોવા પર મળવા માંગે છે. આ શ્રેણીમાં કેજરીવાલે તિહાર જેલ પ્રશાસનને અત્યાર સુધીમાં માત્ર 6 લોકોના નામ લખાવ્યા હતા. નિયમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેદી દ્વારા જે પણ નામ આપવામાં આવે છે, તે પછીથી તેની ઇચ્છા મુજબ તેને બદલી શકે છે.

અગાઉ કેજરીવાલે આ 6 નામ આપ્યા હતા

પત્ની સુનીતા
પુત્ર પુલકિત
પુત્રી હર્ષિતા
મિત્ર સંદીપ પાઠક
પીએ વિભવ કુમાર
બીજો મિત્ર

Back to top button