અમદાવાદગુજરાત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 495 વિધાર્થીઓ સહીત 25478 લોકોએ આપઘાત કર્યોઃ કોંગ્રેસ

અમદાવાદ, 03 એપ્રિલ 2024, ગુજરાતમાં ચૂંટણીનો ચકરાવો બરાબરનો જામ્યો છે. ત્યારે વિપક્ષ દ્વારા સરકાર પર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, દેશમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2017થી 2022 સુધીનાં 6 વર્ષના સમયગાળામાં કુલ 9 લાખ 92 હજાર 535 લોકોએ આપઘાત કર્યો છે. ગુજરાતમાં ત્રણ વર્ષમાં 495 વિધાર્થીઓ સહીત 25478 લોકોએ જીવન ટૂંકાવ્યું છે.

સતત 6 વર્ષથી વધતો આપઘાતનો આંકડો ચિંતાજનક
ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારની ‘અચ્છે દિન’ ‘અમૃતકાળ’ ‘ખેડૂતોની આવક બમણી’ ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’ સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે. દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકોની આપઘાતની ઘટનાઓ નોંધાઈ રહી છે તે ચિંતાજનક છે.વર્ષ 2017થી 2022 સુધી સતત 6 વર્ષથી આપઘાતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સરેરાશ દરરોજ 407 થી વધુ લોકો દેશમાં આપઘાત કરી રહ્યા છે.

દર બે કલાકે ત્રણ બેરોજગાર આપઘાત કરી રહ્યા છે
ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર આપઘાત કરી રહ્યા છે. ભારતમાં દર 25 મીનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ વધી છે. ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં 495 વિધાર્થીઓ સહીત 25 હજાર 478 વ્યક્તિઓએ આપઘાત કર્યો છે. ગુજરાતના પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આત્મહત્યાઓ ચિંતાજનક છે.

રાજ્યમાં 6879 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી
દેશની કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ વિધાર્થીઓના આપઘાતમાં 21 ટકાનો વધારો થયો છે, ત્રણ વર્ષમાં 6879 વિધાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.પ્રદેશ કોંગ્રેસના જણાવ્યા મુજબ ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે. વર્ષમાં 2022માં 1 લાખ 64 હજાર 33 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં 12 હજાર 55 વેપારીઓ, 81 હજાર 76 સ્વરોજગાર કરનાર એમ કુલ 20231 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. વર્ષ 2022માં 1 લાખ 64 હજાર 33 લોકોએ આત્મહત્યા કરી જેમાં 12 હજાર 55 વેપારીઓ, 81 હજાર 34 સ્વરોજગાર કરનાર એમ કુલ 20 હજાર 231 લોકોએ આપઘાત કર્યો છે.

આ પણ વાંચોઃમોબાઈલના કારણે યુવતીએ જીવ ગુમાવ્યો, ઘરે જ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

Back to top button