ગુજરાત

ડીસાના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી ટ્રાફિક જામ, વાહનચાલકો અટવાયા

Text To Speech

ડીસા શહેરના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. ટ્રાફિકજામ સર્જાતા અનેક બાઇકસવારોને અકસ્માત પણ નડ્યો હતો.

બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી ટ્રાફિક જામ

ડીસા શહેર એ બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક માનવામાં આવે છે. જેના કારણે અસંખ્ય લોકો ડીસા શહેરમાં વાહનો લઈને ખરીદી કરવા માટે આપતા હોય છે. જેના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને ડીસાના સાઈબાબા મંદિર પાસે તમામ શાળાઓ તેમજ મોટું શાક માર્કેટ આવેલું હોવાના કારણે અનેકવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી હેરાન પરેશાન થવાનો વારો આવે છે.

વાહનચાલકોને હાલાકી 

આજે (સોમવારે) ડીસા શહેરના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી એક કિલોમીટરના અંતરમાં ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવી હતી. કલાકોની ભારે જહેમત બાદ ડીસા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા બગીચા સર્કલ પાસેથી ટ્રાફિક હટાવતા વાહનચાલકોએ કલાકો બાદ રાહત અનુભવી હતી.

Back to top button