ટ્રેન્ડિંગમનોરંજન

‘JNU’ની રીલીઝ પહેલા ઉર્વશી રૌતૈલા પહોંચી અયોધ્યા, રામલલ્લા સાથે શેર કર્યા ફોટોઝ

Text To Speech
  • હાલમાં ઉર્વશી રૌતેલા તેની આગામી ફિલ્મ ‘JNU’ માટે ચર્ચામાં છે અને તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, ‘JNU’ ની રીલીઝ પહેલા અભિનેત્રીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા.

23 માર્ચ, અયોધ્યાઃ  બોલિવૂડ એક્ટ્રેસ-મોડલ ઉર્વશી રૌતેલાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ ‘JNU’ માટે ચર્ચામાં છે અને તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, ‘JNU’ની રીલીઝ પહેલા અભિનેત્રીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

ઉર્વશીએ રામ મંદિરની મુલાકાત લીધી

ઉર્વશી રૌતેલાની આગામી ફિલ્મ ‘JNU’ની રીલીઝને હવે થોડા જ દિવસો બાકી છે. તો ફિલ્મના પ્રમોશનની સાથે સાથે અભિનેત્રી ભગવાનની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. ગઈકાલે (શુક્રવાર), ઉર્વશીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રામલલ્લાના આશીર્વાદ લીધા અને તેની આગામી ફિલ્મની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

આ દરમિયાન તે તેની આખી ટીમ સાથે જોવા મળી હતી. અભિનેત્રી સાથે તેની માતા મીરા સિંહ રૌતેલા પણ જોવા મળી રહી છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે મંદિરના પ્રાંગણમાં હાથ જોડી ભગવાન શ્રી રામના દર્શન કરી રહી છે. માથા પર તિલક અને ભગવાન રામના નામની ચુંદડી ઓઢીને ઉર્વશીએ રામલલ્લાના દરબારમાં દર્શન કર્યા હતા. તે પીળી સાડીમાં અભિનેત્રી એકદમ ટ્રેડિશનલ લાગતી હતી. તેણે આજે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો વાળો વીડિયો પણ શેર કર્યો છે.

આ પણ વાંચોઃ હોળીનો કલર ઉતારવા અપનાવો આ ઉપાયો, પાક્કો રંગ પણ થશે ગાયબ

Back to top button