ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ પવન કલ્યાણનું ભાષણ અટકાવ્યું, ટાવર પર ચડેલા લોકોને નીચે ઉતરવા કરી અપીલ

Text To Speech

આંધ્રપ્રદેશ, 17 માર્ચ, 2024: આંધ્રપ્રદેશની રેલીમાં કેટલાક લોકો લાઇટ ટાવર પર ચઢી ગયા હતા, જેના કારણે પીએમ મોદીએ પવન કલ્યાણનું ભાષણ અટકાવવું પડ્યું હતું અને લોકોને નીચે ઉતરવાની અપીલ કરી હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસેના પાર્ટીના વડા અને અભિનેતા પવન કલ્યાણને આંધ્રપ્રદેશમાં એક રેલીમાં જ્યારે કેટલાક લોકો લાઇટ ટાવર પર ચઢ્યા ત્યારે તેમનું ભાષણ થોભાવવા માટે કહેવું પડ્યું.

માઈક પર બોલતા વડાપ્રધાને તે લોકોને કહ્યું કે તેમનો જીવ ખૂબ જ કિંમતી છે, તેથી નીચે આવો કારણકે વીજ વાયરનું જોખમ હોઈ શકે છે. બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કરતા પીએમ મોદીને ફાધર ફિગર ગણાવ્યા હતા.

PM મોદીએ લાઇટ ટાવર પર ચડતા લોકોને શું કહ્યું?

પીએમ મોદીએ સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓને વીજળીના ટાવર પર ચઢી રહેલા લોકોને નીચે લાવવા કહ્યું. તે લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ત્યાં વીજ વાયર છે, તમે ત્યાં શું કરી રહ્યા છો, કૃપા કરીને નીચે આવો. તમારું જીવન અમારા માટે ખૂબ મૂલ્યવાન છે, કૃપા કરીને નીચે આવો.

પીએમ મોદીએ કહ્યું, “મીડિયાના લોકોએ તમારો ફોટો લીધો છે, તમે નીચે આવો.” આ દરમિયાન ચંદ્રાબાબુ નાયડુ પણ લોકોને નીચે ઉતરવાનો સંકેત આપી રહ્યા હતા. જ્યારે એક-બે લોકો નીચે આવવાના મૂડમાં ન હતા, ત્યારે પીએમ મોદીએ ફરીથી કહ્યું, “કૃપા કરીને નીચે આવો.” પીએમ મોદીએ કહ્યું, “અહીં જે પોલીસકર્મીઓ હશે, કૃપા કરીને આ બધા ટાવરની સંભાળ રાખો. ત્યાં વિજળીના વાયર છે, જો કંઈક ખોટું થાય તે આપણા માટે ખૂબ જ પીડાદાયક હશે.

Back to top button