ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂતોને કોંગ્રેસના મોટા વચનો, MSPને કાયદાકીય દરજ્જા સહિત આ પાંચ ગેરંટી આપી

Text To Speech

નવી દિલ્હી, ૧૪ માર્ચ : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ વિવિધ રાજકીય પાર્ટીઓ મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વિવિધ પ્રકારના વચનો આપી રહી છે. કેટલાક આ વચનોને ગેરંટી કહી રહ્યા છે તો કેટલાક તેને બાંયધરી ગણાવી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસ મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને અલગ-અલગ વચનો આપી રહી છે અને પાર્ટીએ ખેડૂતોને પાંચ ગેરંટી આપી છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખેડૂતોને સંબોધિત કરતા લખ્યું, “દેશના તમામ ખેડૂતોને મારી શુભેચ્છાઓ! કોંગ્રેસ તમારા માટે 5 એવી ગેરંટી લઈને આવી છે જે તમારી બધી સમસ્યાઓને જડમાંથી ખતમ કરી દેશે.” તેમણે ખેડૂતોને વચન આપ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો સ્વામીનાથન કમિશનની ફોર્મ્યુલા હેઠળ MSPને કાનૂની દરજ્જો આપવામાં આવશે.

લોન માફી પણ ગેરંટીમાં સામેલ છે

આ સાથે કોંગ્રેસે ખેડૂતોની લોન માફ કરવા અને લોન માફીની રકમ નક્કી કરવા માટે કાયમી ‘કૃષિ લોન માફી કમિશન’ બનાવવાનું વચન પણ આપ્યું છે. તે જ સમયે, વીમા યોજનામાં ફેરફાર કરીને પાકના નુકસાનના કિસ્સામાં, 30 દિવસની અંદર સીધી બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવશે. આ ગેરંટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કૃષિ પેદાશોને GSTમાંથી બહાર કાઢવામાં આવશે
સાથે જ કોંગ્રેસે તેની ગેરંટીમાં નવી આયાત-નિકાસ નીતિ બનાવવાની વાત કરી છે. આ સાથે પાર્ટીએ વચન આપ્યું છે કે જો તેની સરકાર બનશે તો તે કૃષિ જણસો પરથી જીએસટી હટાવીને ખેડૂતોને જીએસટી મુક્ત બનાવવાની ખાતરી આપે છે. પાર્ટીએ કહ્યું છે કે પોતાના પરસેવાથી દેશની માટીનું સિંચન કરતા ખેડૂતોનજીવનમાં ખુશિયો ફેલાવવી એ જ તેમનું લક્ષ્ય છે.

Back to top button