કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, આઠ લોકો ઈજાગ્રસ્ત, એકનું મૃત્યુ

Text To Speech

જામનગર, 9 માર્ચ 2024, ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આજે સોમનાથથી દ્વારકા જતી બસ પલટતા આઠ લોકોને ઈજા પહોંચી છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે બે દર્દીની હાલત વધુ ગંભીર હોવાથી સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે.

વડોદરા અને ભરૂચનાં દર્શનાર્થીઓની બસ પલટી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા અને ભરૂચનાં દર્શનાર્થીઓ ખાનગી બસમાં દ્વારકા અને સોમનાથના પ્રવાસે નીકળ્યા હતા. બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. ત્યારે રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી. મુસાફરો ભરેલી બસ પલટતાં રોડ પર ચિચિયારીઓ શરૂ થઈ ગઈ હતી. આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં. કેટલાક પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોચી હોવાથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃસુરતમાં AAP કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા 17 વર્ષના પુત્રનું મૃત્યુ

 

Back to top button