ગુજરાત

રાજકોટમાં ગળેફાંસો ખાઈ દંપતીનો આપઘાત

Text To Speech
રાજકોટ શહેરમાં અરેરાટી મચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી રોડ જયજવાન જયકિસાન સોસાયટી મફતિયાપરામાં રહેતા નવયુગલે સજોડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
વહેલી સવારે મકાનની ઓરડીમાં પગલું ભરી લીધું
મળતી વિગત મુજબ, મોરબી રોડ ઉપર આવેલી જયજવાન જયકિસાન સોસાયટીના મફતિયાપરામાં રહેતા 21વર્ષીય બાબુભાઈ વીનુભાઈ સોલંકી તેમજ તેની 20 વર્ષીય પત્ની મમતાબેને આજે વહેલી સવારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં આક્રંદ છવાયો હતો.
પાંચ મહિના પૂર્વે જ બંનેના થયા હતા લગ્ન
બીજીતરફ આ અંગેની માહિતી મળતા બી-ડિવિઝન પોલીસની ટીમો દોડી ગઈ હતી. અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પરિવાર તેમજ પાડોશીઓની પૂછપરછ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક બાબુભાઇ વિનુભાઈ સોલંકી નામનો આ યુવાન વીડિયો શૂટિંગનું કામ કરતો હતો અને 5 મહિના પૂર્વે તેના મમતાબેન સાથે લગ્ન થયા હતા. દરમિયાન આજે વહેલી સવારે 7 વાગ્યે બંનેએ સજોડે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પગલું ભરવાનું કારણ સ્પષ્ટ નહીં
જો કે આ અંગેનું કોઈપણ સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ ઘરકંકાસ અથવા આર્થિક સંકડામણને કારણે બંનેએ આપઘાત કર્યો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
Back to top button