કૃષિખેતીગુજરાત

મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને ફિક્સ ચાર્જમાં રાજ્ય સરકાર આપે છે ખાસ રાહત

Text To Speech

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2024,વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેમણે ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો હતો.

રાજ્ય સરકાર વીજબીલમાં ખેડૂતોને રાહત આપે છે
મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 26637 ખેડૂતોને વીજ બીલમાં વાર્ષિક 1.67કરોડની રાહત મળી છે. પાટણ જિલ્લામાં તા. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 13109 ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક 6.05 કરોડની રાહત આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 162325 ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક 16.90 કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.

ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજ રેગ્યુલેટરિટીના નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારમાં વીજ કર 7.50 ટકા કરાયો છે
અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10 ટકા હતો જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50 ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ 1980માં 40 ટકા વીજ કર વસૂલવામાં આવતો હતો જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ 2006માં 20 ટકા અને વર્ષ 2012માં તેમાં પણ ઘટાડો કરીને 15 ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃઆ ત્રણ જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગીની 6 હજારથી વધુ અરજીઓ મંજૂર કરાઈ

Back to top button