ટ્રેન્ડિંગનેશનલમનોરંજનલાઈફસ્ટાઈલ

રણબીર કપૂર મુકેશ અંબાણીને માને છે પ્રેરણા સ્ત્રોત: અંબાણીની સલાહનું કરે છે પાલન

  •  રણબીર કપૂર આ દિવસોમાં ફિલ્મ એનિમલને કારણે ખૂબ જ ચર્ચામાં

મુંબઈ, 16 ફેબ્રુઆરી: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મ ‘એનિમલ’ની સફળતા બાદ તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. લોકો અભિનેતાને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દિવસોમાં, અભિનેતા ફિલ્મોમાં કામ કરવાની સાથે પિતા બનવાનો આનંદ માણી રહ્યો છે. તે દીકરી રાહા કપૂર સાથે ઘણો સમય વિતાવી રહ્યો છે. ગુરુવારે રણબીર કપૂરે એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. આ દરમિયાન, મંચ પર સંબોધન કરતી વખતે, તેણે મુકેશ અંબાણીના શબ્દો યાદ કર્યા અને કહ્યું કે, પોતે મુકેશ અંબાણી પાસેથી જીવનના વિશેષ પાઠ શીખ્યો છે, જે મને સારી વ્યક્તિ બનવામાં મદદ કરે છે. અભિનેતાએ જીવનના ત્રણ પાઠ વિશે વાત કરી અને કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય તેને તેના જીવનમાં સંપૂર્ણ રીતે લાગુ કરવાનો છે.

 

રણબીર કપૂરને મુકેશ અંબાણી પાસેથી મળી પ્રેરણા

રણબીર કપૂરે આ ઈવેન્ટમાં કહ્યું કે, ‘મારા જીવનના ત્રણ સરળ લક્ષ્યો છે, ત્રણ સ્તંભો છે. સારું કામ કરો, ખૂબ નમ્રતાથી કામ કરો. મેં મુકેશ અંબાણી પાસેથી પ્રેરણા લીધી છે. તે મને હંમેશા કહે છે કે, હંમેશા માથું નમાવીને કામ કરતા રહો, સફળતાને તમારા દિલ અને દિમાગ પર હાવી ન થવા દો. બીજું, એક સારો વ્યક્તિ, સારો પુત્ર, સારો પિતા, સારો પતિ, સારો ભાઈ, સારો મિત્ર અને સૌથી અગત્યનું, એક સારા નાગરિક બનો. આ દરમિયાન મુકેશ અંબાણી ત્યાં હાજર હતા. તેણે રણબીર કપૂરને ખૂબ જ આદરથી સાંભળ્યો અને હસતાં જોવા મળ્યા.

અંબાણી પરિવારની ખૂબ નજીક છે રણબીર કપૂર 

રણબીર કપૂર મુકેશ અંબાણીના પરિવારની ખૂબ નજીક છે. મુકેશ અંબાણીના પુત્રો આકાશ અને અનંત સાથે તેની ગાઢ મિત્રતા છે. તેઓ ઘણા પ્રસંગોમાં સાથે જોવા મળે છે. રણબીર કપૂરના લગ્નમાં અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી. નીતુ કપૂરે ઘણી વખત કહ્યું છે કે, રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરની સારવારમાં તેમને મુકેશ અંબાણીની મદદ મળી હતી.

રણબીરની ફિલ્મ ‘એનિમલ’ હિટ રહી હતી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ‘એનિમલ‘માં રણબીર કપૂરનો જાદુ જોવા મળ્યો હતો. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સ્થાપિત કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેતાના અભિનયના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે આ ફિલ્મ Netflix પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક હતી. ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘એનિમલ’ પાર્ટ 2 સિવાય રણબીર કપૂર ‘રામાયણ’માં રામના રોલમાં જોવા મળશે. વેલ, આ દિવસોમાં રણબીર કપૂર પિતૃત્વનો આનંદ માણી રહ્યો છે. તે તેની દીકરી રાહા કપૂર સાથે ઘણો સમય વિતાવવાનું પસંદ કરી રહ્યો છે.

આ પણ જુઓ: ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવા આવો ગજબનો ફિલ્મી સ્ટંટ! જુઓ વીડિયો

Back to top button