ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

વૈભવી રૂમ, હાઇટેક કોમ્યુટર લેબ ; હવે UN ઓફિસ નીચે મળી હમાસની ટનલ

ઈઝરાયેલ, 11 ફેબ્રુઆરી : ઈઝરાયેલ અને હમાસ (Israel Hamas war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 28 હજાર લોકોના જીવ ગયા છે. ગાઝાના ચોથા ભાગની વસ્તી ભૂખે ટળવળી રહી છે. દરમિયાન ઈઝરાયેલની સેનાએ ગાઝામાં(Gaza) હમાસનો(Hamas) પર્દાફાશ કર્યો છે. IDF કહે છે કે તેઓએ ગાઝામાં નવીનતમ ગ્રાઉન્ડ ઓપરેશનમાં UN હેડક્વાર્ટરની નીચેથી હમાસની નવી ટનલ શોધી કાઢી છે. આ ટનલમાં સ્ટીલની તિજોરીઓ છે. મોટા લક્ઝુરિયસ રૂમ છે. હાઇટેક કોમ્પ્યુટર રૂમ(Hi-tech computer room) પણ ઉપલબ્ધ છે. ઇઝરાયેલી સૈન્યનું કહેવું છે કે તે પેલેસ્ટિનિયનો માટે મુખ્ય રાહત એજન્સીના હમાસ દ્વારા કરતા શોષણનો પુરાવો છે.

પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલી સેનાએ રવિવારે હમાસનો પર્દાફાશ કર્યો હતો. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે તેણે UNRWA (પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલ રાહત શિબિર) હેઠળ એક ટનલ શોધી કાઢી છે. IDFએ દાવો કર્યો છે કે આ હમાસની ટનલ છે, જે તેમના દાવાને મજબૂત બનાવે છે કે પેલેસ્ટિનિયનોને સપ્લાય કરવામાં આવતો સપ્લાય ટનલ દ્વારા હમાસને પહોંચાડવામાં આવે છે.

પેલેસ્ટિનિયનોએ ઇઝરાયેલ પર UNRWA ને બદનામ કરવા માટે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો છે. UNRWA ગાઝા પટ્ટીમાં 13,000 લોકોને રોજગારી આપે છે. UNRWA લાંબા સમયથી ગાઝામાં શાળાઓ, પ્રાથમિક આરોગ્ય દવાખાના અને અન્ય સામાજિક સેવાઓ ચલાવતી અને સહાયનું વિતરણ કરતી એજન્સી છે. સંસ્થા અહીં તેની પ્રવૃત્તિઓને સંપૂર્ણ માનવતાવાદી સહાય તરીકે વર્ણવી રહી છે. ઈઝરાયેલનું કહેવું છે કે ટનલ મળ્યા બાદ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. UNRWA નું મુખ્ય મથક ગાઝા શહેરના ઉત્તર ભાગમાં છે, જેને ઇઝરાયલી સૈનિકોએ હમાસ સામે યુદ્ધની શરૂઆતમાં કબજે કર્યું હતું.

ઈઝરાયેલે ટનલ પર કયા દાવા કર્યા?
ઈઝરાયેલના સંરક્ષણ દળોનો દાવો છે કે આ ટનલ 700 મીટર લાંબી અને 18 મીટર ઊંડી હતી. જે બે ભાગમાં વહેંચાયેલઈ હતી. આ ટનલ અંદરથી રૂમ જેવી લાગે છે. તેમાં સ્ટીલની તિજોરીઓ છે, જે ખાલી કરવામાં આવી છે. તેમાં ટોઇલેટ પણ છે. એક મોટો ઓરડો કોમ્પ્યુટર સર્વરથી ભરેલો છે.

અયોધ્યાની અનોખી ‘સીતારામ બેંક’, વિદેશઓ પણ ખોલાવી રહ્યાં છે ખાતા, જાણો શું છે ખાસિયત

માતાએ બાળકને પારણાને બદલે ઓવનમાં સુવડાવ્યું, જાગીને જોયું તો…

‘ભગવાન રામને પણ 14 વર્ષ માટે વનવાસ મોકલવામાં આવ્યા હતા’ : આચાર્ય કૃષ્ણમે ખડગેને પૂછ્યા સવાલ

Back to top button