ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષશ્રી રામ મંદિર

૨૨ જાન્યુઆરીના રોજ જામનગરમાં પણ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Text To Speech
  • ૨૨ જાન્યુઆરીએ યોજાશે પડાણામાં રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 
  • આ રામ મંદિરને રિલાયન્સ દ્વારા જિર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે
  • શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ધામધુમથી ઉજવણી

જામનગર, 20 જાન્યુઆરી : જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જિર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રી રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના શુભ મૂહુર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

રામ મંદિર-humdekhengenews

પરિમલ નથવાણી દ્વારા ૧૯૯૮માં ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવેલ રામ મંદિર વર્ષો વિતતાં જીર્ણ- શીર્ણ થયું હતું. રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીએ આ મંદિરનો જિર્ણોધ્ધાર કરવાની કામગીરી હાથધરી હતી. આ નવા બનેલા મંદિરમાં તા. ૨૨ જાન્યુઆરીના રોજ અત્યંત શુભ મુહુર્તમાં ભગવાન શ્રી રામની પ્રતિમાને પુન: બિરાજમાન કરવામાં આવશે.

ધનરાજ નથવાણીની અખંડ આસ્થાના કારણે ગામને મળેલી આ ભેટને સત્કારવા ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે. ગ્રામ અગ્રણી ગોવુભા જાડેજાના જણાવ્યા મુજબ આ માંગલિક પ્રસંગને સમસ્ત ગામ ૨૦-૨૧-૨૨ જાન્યુઆરીએ ત્રિદિવસીય મહોત્સવ તરીકે ઉજવશે. રામલલાની શોભાયાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો ગ્રામજનો દ્વારા ગોઠવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય બાલિકા દિવસ: ગુજરાત વિધાનસભાગૃહનું સમગ્ર સંચાલન કરશે દિકરીઓ

Back to top button