ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાના ભોપાનગરમાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીની કરી હત્યા

Text To Speech
  • પત્ની પિયર આવતા પતિ પણ તેડવા પિયર આવ્યો હતો
  • છ સંતાનો માતા વિના નોંધારા બન્યા

પાલનપુર 18 જાન્યુઆરી 2024: ડીસામાં ભોપાનગરમાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. છ બાળકોની માતાની પંખાના ઘા મારી હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. શહેર દક્ષિણ પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ડીસામાં ઘરકંકાશમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજીરાણાના લગ્ન અંદાજિત 20 વર્ષ પહેલા બાખાસર ના વાછવાળ ગામે રહેતા ચેતનભાઈ માજીરાણા સાથે થયા હતા અને અત્યાર સુધી બંને પતિ-પત્તિ વચ્ચે મનમેળ રહેતા છ સંતાનો થયા હતા. જોકે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસના કારણે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. તે દરમિયાન રાજુબેન તેમના પિયર આવ્યા હતા ત્યારબાદ તેમનો પતિ રાજુબેનને તેડવા માટે આવ્યો હતો.

તે દરમ્યાન આજે સવારે બંને પતિ પત્ની વચ્ચે બોલા ચાલી થતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સામાં પતિએ પત્નીને સીલીંગ ફેનના ઉપરા ઉપરી બે ઘા માર્યા હતા. માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રાજુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યારબાદ પતિ પણ ઘરે હાજર હોવાથી પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.છ સંતાનની માતાની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો છે જ્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતા માતા પિતા વગર છ સંતાનો નોધારા બન્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં બાળકોથી તૈયાર થઈ ભગવાન રામની નામાવલી…!

Back to top button