ગુજરાત

દંપતી વચ્ચેના સામાન્ય ઝઘડાનું માઠું લાગી જતા કૂવામાં ઝંપલાવી પત્નીનો આપઘાત

Text To Speech
જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામમાં સામાન્ય બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતા તેનું પત્નીને લાગી આવ્યું હતું જેના કારણે ઘરેથી નીકળી ગામના કુવામાં ઝંપલાવી દીધું હતું.
ઘડિયાળના સેલ બાબતે થયેલી બબાલે પત્નીનો જીવ લીધો
મળતી માહિતી મુજબ, જોડિયા તાલુકાના વાવડી ગામનાં 36 વર્ષીય પરિણીતા ગનીબેન કનુભાઈ ડાંગરનો મૃતદેહ ગામના કૂવામાં દેખાતા ચકચાર મચી જવા પામ્યો હતો. જામનગર ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ આદરી હતી,. પોલીસ તપાસમાં ગનીબેનની એમના પતિ કનુભાઈ ડાંગર સાથે ઘડિયાળના સેલ બાબતે બોલાચાલી થતાં ગઇકાલ સાંજથી કોઈને કહ્યા વગર ઘર છોડી ચાલ્યા ગયા હતા. ગનીબેન ઘરેથી ચાલ્યા ગયેલા હોવાથી અને મોડે સુધી ઘરે પરત ના ફરતા તેઓની શોધખોળ શરૂ કરાઈ હતી, પણ આસ પડોશ કે ગામમાં મળ્યા ન હતા. જ્યારે સવારે ગામના કુવામાંથી મૃતદેહ મળ્યો હતો.
Back to top button