ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ભગવાન રામને માંસાહારી બતાવતી ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ નેટફ્લિક્સ પરથી હટાવી

Text To Speech

મુંબઈ, 11 જાન્યુઆરી : ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાતા નેટફ્લિક્સ ઈન્ડિયાએ પણ ફિલ્મને OTT પ્લેટફોર્મ પરથી હટાવી દેવાની ફરજ પડી છે. વિવાદોમાં ફસાયા બાદ ફિલ્મને લઈને સવાલોની સાથે વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. તેને જોતા મુંબઈ પોલીસે નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધી હતી. આ વિરોધ નિર્માતાઓને ખૂબ મોંઘો પડી છે. ફિલ્મ અંગે વિવાદ ઘણો વધ્યો છે તેમજ, ફિલ્મ મેકર્સ પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ગંભીર આરોપ પણ લાગ્યો છે.

ભગવાન રામ પર દેખાડવામાં આવેલા દ્રશ્યને કારણે હોબાળો

આ ફિલ્મ ‘અન્નપૂર્ણાની’માં ભગવાન રામને માંસાહારી દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેને નોન-વેજ ખાતા પણ બતાવવામાં આવ્યા છે, એટલું જ નહીં પરંતુ આ ફિલ્મમાં હિન્દુ બ્રાહ્મણ છોકરીને નમાઝ અદા કરતા અને ભગવાન રામ વિશે જુઠ્ઠું બોલતાં તેમજ વધારે પડતું અપમાનજનક દર્શાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ટીકા બાદ ફિલ્મના નિર્માતાઓએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું અને લોકો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો. ઝી સ્ટુડિયોએ કહ્યું, ફિલ્મના સહ-નિર્માતા તરીકે, અમારો હિંદુઓ અને બ્રાહ્મણ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી અને અમે સંબંધિત સમુદાયોની લાગણી અને અસુવિધા માટે માફી માગીએ છીએ.

અન્નપૂર્ણાની-HUMDEKHENGENEWS

 

ફિલ્મમાં ફેરફાર કરવામાં આવશે

નિર્માતાઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વાંધાજનક દ્રશ્યને સંપાદિત કરવામાં આવશે અને જ્યાં સુધી જરૂરી ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી ફિલ્મ નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી છે. ફેરફાર બાદ જ દર્શકો ફિલ્મને OTT પ્લેટફોર્મ પર જોઈ શકશે.

વિશ્વ હિન્દુ પરિષદે કર્યું પ્રદર્શન

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો નેટફ્લિક્સની ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓએ ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ‘અન્નપૂર્ણાની’ના બહિષ્કારની માંગ કરી હતી. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઘણા રાજકીય નેતાઓએ નિર્માતાઓ પર ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. ત્યારથી આ વિવાદ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો : અન્નપૂર્ણી ફિલ્મ સામે નોંધાઈ ફરિયાદ, હિન્દુવાદી નેતા રમેશ સોલંકીએ કર્યો કેસ

Back to top button