ટ્રેન્ડિંગધર્મ

મકરસંક્રાંતિ પર ખવાતી વાનગી ખીચડાનો ગ્રહો સાથે છે સંબંધઃ શું છે દાનનું મહત્ત્વ?

મકરસંક્રાંતિના તહેવાર પર દાન પુણ્ય કરવાનુ અને ખીચડો ખાવાનું તેમજ ખવડાવવાનું ખુબ જ મહત્ત્વ છે. મકરસંક્રાંતિ પર ખીચડો ખાવાથી શું લાભ થાય છે અને તેનું મહત્ત્વ શું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ પર જે ખીચડી-ખીચડો બનાવાય છે, તેનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. જેમ કે ખીચડામાં ઉપયોગમાં લેવાતા ચોખાનો સંબંધ ચંદ્રમા સાથે હોય છે. ખીચડામાં ઉપયોગમાં લેવાથી અડદની દાળનો સંબંધ શનિદેવ સાથે છે, હળદરનો સંબંધ ગુરૂદેવ સાથે અને લીલા શાકભાજીનો સંબંધ બુધ દેવ સાથે માનવામાં આવે છે. આ ઉપરાંત ખીચડામાં ઘીનો સંબંધ સૂર્યદેવ સાથે માનવામાં આવે છે.

મકરસંક્રાંતિ પર ખવાતી ખીચડાનો ગ્રહો સાથે છે સંબંધઃ શું છે ધાર્મિક મહત્ત્વ? hum dekhenge news

મકરસંક્રાંતિ પર ખીચડાને ખુબ જ ખાસ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ખીચડો ખાવાની સાથે બ્રાહ્મણને પણ દાન જરૂર કરો. તેને ઘરે બોલાવીને ખીચડો ખવડાવો ત્યારબાદ કાચી દાળ, ચોખા, હળદર, મીઠુ અને લીલા શાકભાજીનું દાન પણ અવશ્ય કરો. એવી માન્યતા છે કે ખીચડો ખાવાથી આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.

મકરસંક્રાંતિની પૂજા વિધિ

આ દિવસે ભગવાન સૂર્યની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પુજા કરવામાં આવે છે. આ વ્રત ભગવાન સૂર્ય નારાયણને સમર્પિત છે. આ દિવસે સૂર્ય દેવને તાંબાના લોટામાં જળ ભરીને તેમાં ગોળ, ગુલાબની પાંદડીઓ નાંખીને અર્ઘ્ય આપો. આ દિવસે ગોળ, તલ અને ખીચડીનું સેવન પણ જરૂર કરો. સાથે ગરીબોને પણ કંઈક દાન અવશ્ય આપો. આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો શુભ રહેશે. તમે ઈચ્છો તો ભગવાન સૂર્ય નારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો.

મકરસંક્રાંતિ પર ખવાતી ખીચડાનો ગ્રહો સાથે છે સંબંધઃ શું છે ધાર્મિક મહત્ત્વ? hum dekhenge news

 

કેવી રીતે શરૂ થઇ ખીચડાની પરંપરા

કેટલીક માન્યતાઓ અનુસાર ખિલજીના યુદ્ધ દરમિયાન નાથ યોગી નબળા પડી ગયા અને ભુખના લીધે તેમની તબિયત બગડવા લાગી. ત્યારે ગોરખનાથે દાળ ચોખા અને શાકભાજીને એક સાથે પકવીને બધાને ખવડાવ્યુ. જેનાથી નાથ યોગીને તરત ઉર્જા મળી અને તેમનુ આરોગ્ય પણ સુધરવા લાગ્યુ. ત્યારથી ખીચડો બનાવવાની પરંપરા ચાલી આવે છે.

મકરસંક્રાંતિ પર ખવાતી ખીચડાનો ગ્રહો સાથે છે સંબંધઃ શું છે ધાર્મિક મહત્ત્વ? hum dekhenge news

મકરસંક્રાંતિએ દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે

મકરસંક્રાંતિ પર  ગોળ, તલ, મગની દાળ, ચોખા, તાંબુ, સોનું, કપડાંનું દાન કરવાથી હજાર ગણું વધુ ફળ મળે છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે. મકર સંક્રાંતિ પર  દાન કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી તમામ પાપમાંથી મુક્તિ મળી જાય છે. સાથે સાથે મકરસંક્રાંતિના દિવસે દાનનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે કરાયેલા દાનનું ફળ સો ગણુ થઇ જાય છે. મકરસંક્રાંતિના દિવસે ઘી, તેલ, બ્લેન્કેટ, ખીચડી-ખીચડો, અનાજ, અડદના દાનનું ખુબ મહત્ત્વ છે.મકરસંક્રાંતિના દિવસે તલ, ગોળ અને ખીચડીના દાનથી કિસ્મત બદલાય છે. આ દિવસે પુણ્યકાળમાં દાન આપવાનું, સ્નાન કરવાનું કે શ્રાધ કાર્ય કરવાનું શુભ માનવામાં આવે છે.

Back to top button