ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

બિગ બોસમાંથી બહાર થયા બાદ અંકિતા-વિકીના સંબંધને લઈને નીલ ભટ્ટે કર્યો મોટો ખુલાસો

Text To Speech

મુંબઈ, 03 જાન્યુઆરી : અંકિતા લોખંડે અને વિકી જૈન ‘બિગ બોસ 17’ની શરૂઆતથી જ દર્શકોમાં લોકપ્રિય રહ્યા છે. આ કપલ શોમાં રોજેરોજ લડતા રહે છે, જેના કારણે વિક્કીને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ કપલના કો-સ્પર્ધક નીલ ભટ્ટે શો છોડ્યા બાદ તેમના સંબંધો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

જાણીતા ટીવી એક્ટર નીલ ભટ્ટને તાજેતરમાં જ સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 17’માંથી બહાર કરવામાં આવ્યો છે. શો છોડતાની સાથે જ, નીલે બિગ બોસના ઘરમાં તેની સફર અને અંકિતા લોખંડે અને વિકી જૈન સાથેની તેની લડાઈ વિશે ખુલીને વાત કરી છે. આ વાતચીત દરમિયાન, અભિનેતાએ ટીવીની સંસ્કારી બહુ અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેના સંબંધોને લગતા ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા. અંકિતા લોખંડે અને વિકી જૈન ઘણીવાર ‘બિગ બોસ’ના ઘરમાં એકબીજા સાથે લડતા જોવા મળે છે. વિકીનું અંકિતા પ્રત્યેનું વર્તન ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.

હવે નીલ ભટ્ટના તાજા ખુલાસાથી આ ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે. એક ઈન્ટરવ્યુમાં નીલ ભટ્ટે અંકિતા લોખંડે અને વિકી જૈન વિશે વાત કરતાં કહ્યું હતું કે તે આ બંનેને શો પહેલા ઓળખે છે અને તેણે વિકીના ગુસ્સા અંગે તેમની સાથે વાત પણ કરી હતી. અભિનેતાના કહેવા પ્રમાણે વિકી જૈન તેમના જેવો પતિ બનવા માંગતો હતો. આ વાતચીત દરમિયાન નીલ ભટ્ટે આ લોકપ્રિય ટીવી કપલના લગ્નનો પણ ખુલાસો કર્યો હતો.

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફેમ એક્ટર નીલ ભટ્ટે કહ્યું, ‘વિકી તેની અનુકૂળતા મુજબ જ ચાલે છે. તે કોઈ ચીઝની વેલ્યૂ નથી કરતો. તેને ન તો કોઈ સંબંધોનું સન્માન છે કે ન કોઈની લાગણીઓનું. તેમજ વિકી જૈન હંમેશા અંકિતા પર પ્રભુત્વ રાખે છે.

વિકી અને અંકિતા અવારનવાર ઝઘડે છે

નીલ ભટ્ટના કહેવા પ્રમાણે જ્યારે પણ વિકી તેના લગ્ન વિશે વાત કરે છે ત્યારે તે પોતાને ‘પીડિત’ બતાવે છે. તે કહે છે. વિકીમાં ઘણો અહંકાર છે. તે બીજાને જાતવા માગે છે કે, હું જે કહું છું તે જ સાચું છે અને બધા મારી બધી વાતમાં હામી ભરો. જ્યારે અંકિતા મજબૂત મહિલા છે અને કદાચ તેથી જ બંને વચ્ચે વારંવાર ઝઘડા થાય છે.

આ પણ વાંચો : દુલ્હન બનશે રકુલ પ્રીત સિંહ, આ દિવસે બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન બંધનમાં બંધાશે

Back to top button