ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસના ઉમેદવારની જીત પર દાવ લગાવનાર 1 લાખ જીત્યો, રકમનું ગૌશાળામાં દાન કર્યું

Text To Speech

છિંદવાડા (મધ્યપ્રદેશ), 06 ડિસેમ્બર: છિંદવાડા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના નામ પર 1 લાખ રૂપિયાની શરત લાગી હતી. વિધાનસભાના ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ 1 લાખ રૂપિયાનો દાવ લગાવનાર ઉદ્યોગપતિ રામ મોહન સાહુ પ્રકાશ સાહૂ સામે શરત હારી ગયા છે. હવે નિર્ધારિત શરત મુજબ  તેમણે પ્રકાશ સાહુને 1 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જો કે,  પ્રકાશ સાહૂએ જીતેલી શરતના એક લાખ રૂપિયા ગૌશાળામાં ગાયો માટે દાન કરી છે.

છિંદવાડા વિધાનસભાના ઉમેદવારો માટે દાવ લાગ્યો હતો

હકીકતમાં છિંદવાડા શહેરના લાલબાગના રહેવાસી બે ઉદ્યોગપતિઓ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે 18 નવેમ્બરે ચૂંટણીના મતદાનના બીજા દિવસે, બંનેએ છિંદવાડા વિધાનસભાના ઉમેદવારો પર જીત કે હાર અંગે દાવ લગાવ્યો હતો. પ્રકાશ સાહુએ શરત લગાવી હતી કે જો ભાજપના ઉમેદવાર વિવેક બંટી સાહુ જીતશે તો તેઓ રામ મોહનને 10 લાખ રૂપિયા આપશે. તેવી જ રીતે, રામ મોહને શરત મૂકી હતી કે જો કમલનાથ જીતશે તો તે પ્રકાશ સાહુને 1 લાખ રૂપિયા આપશે.

હવે 3 ડિસેમ્બરે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર કમલનાથે ભાજપના વિવેક બંટી સાહુને 36,594 મતોથી હરાવ્યા હતા. કમલનાથે તેમના ગઢમાં 1 લાખ 32 હજારથી વધુ વોટ મેળવ્યા હતા.

શરત લગાવનાર પ્રકાશ સાહુ અને રામ મોહન સાહુએ કોંગ્રેસના કમલનાથ અને ભાજપના બંટી સાહુની જીત કે હાર અંગે લેખિત સમજૂતી તૈયાર કરી હતી. આ મુજબ જો કમલનાથ હારશે તો પ્રકાશ સાહુ રામ મોહન સાહુને 10 લાખ રૂપિયા આપશે. આ સાથે જ જો ભાજપના ઉમેદવાર બંટી સાહુ ચૂંટણી હારી જશે તો રામ મોહન સાહુ પ્રકાશ સાહુને 1 લાખ રૂપિયા આપશે. આ કબૂલાતમાં ત્રણ સાક્ષીઓ પણ સામેલ હતા. બંને સટ્ટાબાજોએ તેમના પૈસા સાક્ષી પાસે જમા કરાવ્યા હતા. હવે પરિણામ પછી, શરત જીતનાર પ્રકાશ સાહુએ ગાયો માટે એક લાખ રૂપિયાનું દાન કર્યું.

આ પણ વાંચો: વિધાનસભામાં કોણ જીતશે? હાર-જીત પર લાગી રૂ. 10 લાખ સુધીની શરત

Back to top button