ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

સિલ્ક્યારા ટનલ મામલે થતા આક્ષેપો અંગે સામે આવી અદાણી જૂથની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ઉત્તરકાશી-ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલ સંબંધિત કેટલાક અહેવાલો દાવો કરે છે કે અદાણી જૂથ તેના નિર્માણમાં સામેલ છે. આ એ જ ટનલ છે જ્યાં 12 નવેમ્બરથી 41 મજૂરો ફસાયેલા છે. વહીવટીતંત્ર કામદારોને બહાર કાઢવાના પ્રયાસમાં વ્યસ્ત છે. તેવામાં અદાણી જૂથે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કંપનીને આ અહેવાલો બદનામ કરવાનું કામ કરતા હોવાની સફાઈ આપી હતી.

અદાણી ગ્રુપ ઉત્તરકાશી ટનલ નિર્માણમાં સામેલ નથી

અદાણી ગ્રૂપે સોમવારે જણાવ્યું હતું કે કંપનીનું નામ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલના પતન સાથે જોડવામાં આવી રહ્યું છે. જૂથે કહ્યું કે કંપનીનું નામ બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે આ પ્રયાસો અને તેની પાછળના લોકોની સખત નિંદા કરીએ છીએ. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ અને તેની કોઈપણ પેટાકંપનીની ટનલના નિર્માણમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા નથી.

અદાણી ગ્રુપનું નામ કેમ આવ્યું?

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, અદાણી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટનલના નિર્માણ સાથે સંકળાયેલી કંપનીમાં જૂથની કોઈ માલિકી અથવા શેર નથી. ચાર ધામ રોડ પર બનેલી આ ટનલનું નિર્માણ હૈદરાબાદ સ્થિત નવયુગ એન્જિનિયર કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રુપે કહ્યું કે આ સમયે અમારી સહાનુભૂતિ અને પ્રાર્થના ફસાયેલા કામદારો અને તેમના પરિવારો સાથે છે. અદાણી ગ્રુપનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ અને નવયુગ એન્જિનિયરિંગ કંપનીએ 15 મે, 2020ના રોજ 74:26ના રેશિયોમાં ‘વિજયવાડા બાયપાસ પ્રોજેક્ટ’ નામની નવી કંપનીની રચના કરી હોવાનું બહાર આવ્યું હતું.

કામદારોને બચાવવા અનેક વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે 12 નવેમ્બરે ભૂસ્ખલન બાદ બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ ધરાશાયી થયો હતો. ટનલ ધરાશાયી થવાને કારણે 41 મજૂરો અંદર ફસાયા છે. સિલ્ક્યારા ટનલ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય દરેક સિઝનમાં ચાર ધામની મુલાકાત લેવાની સુવિધા પૂરી પાડવાનો છે. અધિકારીઓ ફસાયેલા કામદારોને બચાવવા માટે ઘણા વિકલ્પો પર કામ કરી રહ્યા છે.

કામદારો 15 દિવસથી ફસાયેલા છે

છેલ્લા 15 દિવસથી ફસાયેલા કામદારો માટે એસ્કેપ રૂટ તૈયાર કરવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવું પડશે અને અત્યાર સુધીમાં આ કામનું 31 મીટર પૂર્ણ થઈ ગયું છે. બીજા વિકલ્પ તરીકે અપનાવવામાં આવેલી આ પદ્ધતિમાં ટનલની ટોચ પરથી 1.2 મીટર વ્યાસની પાઈપો ઊભી રીતે નાખવાનો સમાવેશ થાય છે.

Back to top button