ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપીમાંથી લોકો નોકરી માટે બિહાર આવે છે: તેજસ્વી યાદવનો દાવો

  • “યુપીના બાબા ઘંટી વગડાવી રહ્યા છે અને ત્યાંના યુવાનો બિહારમાં આવીને નોકરી કરી રહ્યા છે” તેજસ્વી યાદવ

બિહાર, 26 નવેમ્બર: “જેટલી વધુ આપણી વસ્તી, તેટલી આપણી ભાગીદારી”ના નારા સાથે બિહારના મેડિકલ ગ્રાઉન્ડ ખાતે નોનિયા સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે હાજરી આપી હતી. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેજસ્વી યાદવે ભારતીય જનતા પાર્ટી પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. યુપીની યોગી સરકાર પર પ્રહાર કરતા તેજસ્વી યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જે બાબા છે એ ઘંટી વગડાવી રહ્યા છે અને ત્યાંના યુવાનો બિહાર આવીને નોકરી કરી રહ્યા છે.

ભાજપ સૌથી મોટી ખોટી પાર્ટી છે: તેજસ્વી યાદવ

નોનિયા સમાજ મહાસંમેલનના સભાને સંબોધિત કરતી વખતે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું કે, ‘ભાજપ સૌથી મોટી ખોટી પાર્ટી છે. તે માત્ર ઝઘડા, રમખાણો અને અરાજકતા જ સર્જે છે. હવે તો યુપીના લોકો પણ કહે છે કે ત્યાંના મુખ્યમંત્રી બાબા માત્ર ઘંટી જ વગડાવે છે, પણ નોકરી મેળવવા મારે બિહાર આવવું પડે છે. તો સમજી લો કે ઘંટડી વગાડવાથી તમારું પેટ નહીં ભરાય. દરેક વ્યક્તિ તેમની અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. મંદિરો અને મસ્જિદોથી કોઈનું પેટ નથી ભરી શકાતું’.

બિહારના ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું કે ભગવાનની પૂજા શ્રદ્ધા એ મનથી કરવામાં આવે છે. આ બધા ખોટો દેખાડો કરી રહ્યા છે. તેજસ્વી યાદવે કહ્યું કે સાચી શ્રદ્ધા મનમાં રહેલી છે. તિલક લગાવવાથી કે કેસર પહેરવાથી અને ઘોંઘાટ કરવાથી ભક્તી નથી થતી. મનમાં ભગવાન હોવા જોઈએ અને સમાજમાં શાંતિ હોવી જોઈએ.

તેજસ્વી યાદવે જાતિ આધારિત ગણતરી પર પણ કરી વાત

આ પહેલા નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે શરૂઆતથી જ અમે લોકો માંગ કરી રહ્યા છીએ કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. અમે જાતિ આધારિત વસ્તીગણતરીનો સર્વે હાથ ધર્યો છે અને તેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દરેક જાતિમાં ગરીબ લોકો છે અને તમામ લોકો માટે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેજસ્વીએ કહ્યું કે ભાજપ દ્વારા અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બિહાર સરકારના ઘણા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા

દરભંગામાં આયોજિત આ કાર્યક્રમનું ઔપચારિક ઉદઘાટન તેજસ્વી યાદવની સાથે બિહાર સરકારના જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ મંત્રી લલિત યાદવ, પછાત વર્ગ અને પછાત વર્ગ કલ્યાણ વિભાગના મંત્રી અનિતા દેવી અને અન્ય ઘણા નેતાઓએ સંયુક્ત રીતે દીપ પ્રગટાવીને કર્યું હતું. આ પ્રસંગે મિથિલાની પરંપરા મુજબ નોનિયા સમાજનું પાગ, માળા અને ચાદરથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: CBIએ યુનાની મેડિસિનના વહીવટી અધિકારીની લાંચ કેસમાં ધરપકડ કરી

Back to top button