ટ્રેન્ડિંગમનોરંજન

વિજય-રશ્મિકાના સંબંધોને કન્ફર્મ કર્યા રણબીર કપૂરેઃ જાણો શું કર્યો ખુલાસો?

  • બોલિવુડ અભિનેતા રણબીર કપૂર તાજેતરમાં ફિલ્મ એનિમલનું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન તે એક શોમાં અભિનેત્રી રશ્મિકા અને ડિરેક્ટર સંદીપ સાથે પહોંચ્યો. ત્યાં તેણે રશ્મિકા અને વિજય દેવરકોંડાના સંબંધોની વાતને સમર્થન આપ્યું.

છેલ્લા કેટલાક સમયથી રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાના ડેટિંગને લઈને અફવાઓ ચાલી રહી છે. રશ્મિકા મંદાના રણબીર કપૂર સાથે તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કો-એક્ટર રણબીર કપૂરે તેમના સંબંધો અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રશ્મિકા અને રણબીર ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે ચેટ શોમાં પહોંચ્યા હતા.

અભિનેતા નંદામુરી બાલકૃષ્ણના શોના એક સેગમેન્ટમાં, સંદીપ અને રશ્મિકાને અર્જુન રેડ્ડી અને એનિમલ વચ્ચેની ફિલ્મ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. રણબીરે રશ્મિકાને ચીડવવાનું શરૂ કર્યું કારણ કે અભિનેત્રીને કહેવાનું હતું કે વિજય દેવેરાકોંડા અને રણબીર કપૂર વચ્ચે શ્રેષ્ઠ અભિનેતા કોણ છે, રીલ હીરો કોણ છે અને તેનો રિયલ હીરો કોણ છે. જ્યારે રશ્મિકાએ આ પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કર્યો ત્યારે નંદામુરીએ સંદીપને વિજયનો નંબર ડાયલ કરવાનું કહ્યું, પરંતુ અભિનેતાએ મિસ કોલ કર્યો. ત્યારે રણબીરે કહ્યું, ‘સર, રશ્મિકાને ફોન કરવા દો, વિજય સંદીપના કોલનો જવાબ નહીં આપે.’ આ સાંભળીને રશ્મિકા શરમાઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by virosh <3 🖤🤍 (@virosh_trends)

રણબીર સેટ પર રશ્મિકાનો ફોન માંગે છે અને તેને વિજયને ફોન કરવા કહે છે, પરંતુ વિજયેએ તેનો કોલ ન ઉપાડ્યો. તેના બદલે ડિરેક્ટર સંદીપને કોલ બેક કર્યો. તે જ સમયે, રશ્મિકાને પણ ફોન આવ્યો. ‘હેલ્લો’ બોલતાંની સાથે જ વિજયે રશ્મિકાને પૂછ્યું, ‘શું ચાલી રહ્યું છે?’ તો રશ્મિકાએ શરમાતા કહ્યું કે ઓલ ઈઝ ગુડ પણ ધ્યાન રાખજે ફોન સ્પીકર પર છે.

આ પછી રણબીરે કહ્યું, ‘વિજય, બાલા સરને ઈર્ષ્યા કરે છે.’ આના પર વિજયે કહ્યું, ‘બાલા સર રશ્મિકાને પ્રેમ કરે છે.’ બાલકૃષ્ણ અને રશ્મિકાએ વિજયને પૂછ્યું કે તે કોને પ્રેમ કરે છે? તો અભિનેતાએ સંદીપ રેડ્ડી વાંગાનું નામ લીધું, જેને સાંભળીને બધા હસી પડ્યા. ત્યારબાદ રણબીરે વિજયને કહ્યું કે રશ્મિકાને ‘અર્જુન રેડ્ડી’ અને ‘એનિમલ’ના પોસ્ટરમાંથી એક પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. આનો જવાબ આપતા રશ્મિકાએ કહ્યુ, ‘મેં અર્જુન રેડ્ડીને રિલીઝના પહેલા દિવસે જોઈ હતી, તેથી અર્જુન રેડ્ડી સાથે મારું કનેક્શન છે અને એનિમલ મારી ફિલ્મ છે, તેથી મને તે બંને ગમે છે.’

 

View this post on Instagram

 

A post shared by virosh <3 🖤🤍 (@virosh_trends)

રશ્મિકા ફરી શરમાઈ ગઈ

જ્યારે રણબીર અને બાલકૃષ્ણને તેને પૂછ્યું કે શું કનેક્શન છે? ત્યારે રશ્મિકા શરમાઈ ગઈ. રણબીરે આગળ કહ્યું, ‘સર, વાસ્તવમાં આ એક સંયોગ છે કે સંદીપ પહેલીવાર રશ્મિકાને વિજયના ટેરેસ પર અર્જુન રેડ્ડીની સક્સેસ પાર્ટીમાં મળ્યો હતો.’ આનાથી રશ્મિકા અવાક થઈ ગઈ અને તેણે કહ્યું, ‘આ બધી માહિતી આપવી જરૂરી નથી.’ કૉલ પૂરો થયા પછી, રણબીરે રશ્મિકા તરફ ઈશારો કરીને કહ્યું, નેચરલી બ્લશ આવ્યો. રશ્મિકા ફરી શરમાઈ ગઈ હતી. આ બંનેના સંબંધો વિશે બંને મૌન રાખી રહ્યા છે, પરંતુ આ ચેટ પરથી તો લાગે છે, કે બંને ખરેખર પ્રેમમાં છે, હવે તો રણબીરનું કન્ફર્મેશન પણ મળી ચૂક્યું છે.

આ પણ વાંચોઃ ગાડીમાં પણ રહેશે પોઝિટિવિટીઃ ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ

Back to top button