ગુજરાતટોપ ન્યૂઝ

પંચમહાલમાં બે ખાનગી બસો વચ્ચે ભયંકર અકસ્માતમાં 4 લોકોના મોત

Text To Speech
  • પોલીસ દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઇ
  • લક્ઝરી બસ બગડતા રોડની સાઇડમાં ઉભી કરાતા અકસ્માત થયો
  • 30થી વધુ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા

પંચમહાલમાં બે ખાનગી બસો વચ્ચે ભયંકર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ગોધરા-દાહોદ હાઇવે પર આ અકસ્માત થયો છે. જેમાં 30થી વધુ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. તેમાં એક લક્ઝરી બસ સાથે બીજી બસ અથડાઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના, જાણો કયારે ખાબકશે મેઘો 

બે ખાનગી બસો વચ્ચે અકસ્માત થતા અફરાતફરી મચી ગઇ

ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જેમાં ગોધરા-દાહોદ હાઇવે પર અકસ્માત થયો છે. તેમાં બે ખાનગી બસો વચ્ચે અકસ્માત થતા અફરાતફરી મચી ગઇ હતી. તેમજ આસપાસના લોકો અકસ્માત થતા દોડી આવ્યા હતા. તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતના જાણીતાં IPSનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું

લક્ઝરી બસ બગડતા રોડની સાઇડમાં ઉભી હતી

30થી વધુ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. એક લક્ઝરી બસ સાથે બીજી બસ અથડાઇ હતી. જેમાં લક્ઝરી બસ બગડતા રોડની સાઇડમાં ઉભી હતી. અન્ય લક્ઝરી બસ પાછળથી આવી અથડાઇ હતી. જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ગોધરા દાબોદ હાઈવે પર પંચર પડતા એક ખાનગી બસ રોડ પર ઉભી હતી ત્યારે અન્ય એક ખાનગી બસ ધડાકા ભેર અથડાઈ હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં મહિલા, બે બાળક સહિત ચારના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Back to top button