ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

દિવાળી ઉજવવા સાસરે આવેલી યુવતીને કરંટ લાગ્યો, આઘાતમાં ભાવી પતિએ જીવન ટૂંકાવ્યું

Text To Speech
  • કરંટ લાગતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
  • પરિવારની તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ
  • ભાવિ પતિએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

જામનગરઃ (Jamnagar News)દરેક પરિવારમાં હાલમાં દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. (police)ત્યારે જામનગરમાં નવા વર્ષના દિવસે જ કરૂણ ઘટના પ્રકાશમાં આવી છે. સગાઈ થયા બાદ પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવા સાસરે આવેલી યુવતીનું કરંટ લાગતાં મૃત્યુ નિપજ્યું હતું. (fiance Death) જ્યારે તેના ભાવિ પતિને પણ આઘાત લાગતા તેણે પણ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. બંનેના મૃત્યુથી પરિવારની તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

યુવતી સગાઈ બાદ પ્રથમ વખત દિવાળી ઉજવવા માટે ગઈ હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગર પાસે સ્થિત હાપામાં રહેતા 30 વર્ષના વિક્રમ રાઠોડની આઠ મહિના પહેલા હળવદની હર્ષિતા ઠાકોર સાથે સગાઈ નક્કી થઈ હતી. હર્ષિતા વિક્રમના ઘરે સગાઈ બાદ પ્રથમ વખત દિવાળી ઉજવવા માટે ગઈ હતી. બેસતા વર્ષના દિવસે જ વહેલી સવારે હર્ષિતા હિટરથી પાણી ગરમ કરતી હતી. આ દરમિયાન હિટરને અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

યુવતીના મૃત્યુ બાદ તેના ભાવિ પતિને પણ આઘાત લાગ્યો

યુવતીના મૃત્યુ બાદ તેના ભાવિ પતિ વિક્રમને પણ આઘાત લાગ્યો હતો. તેણે પોતાના ઘરે જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. નવા વર્ષે જ યુવતી અને તેના ભાવિ પતિનું મૃત્યુ થતાં પરિવારની તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં પણ નવા વર્ષે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો: પતિ-પત્નીના પ્રેમનું અનોખું ઉદાહરણ, પત્નીના મૃત્યુથી પતિએ સમાધિ પર મંદિર બનાવ્યું

Back to top button