ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 4 IAS અધિકારીઓની બદલી

Text To Speech
  • પ્રિન્સિપાલ આરોગ્ય સચિવ તરીકે ધનંજય ત્રિવેદીની નિમણુંક
  • આરોગ્ય, મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશન કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણુંક
  • કલ્પસરના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે શમીના હુસૈનની વરણી
  • આલોક પાંડેને યુથ સર્વિસીસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીના કમિશનરનો વધારાનો ચાર્જ સોંપાયો

રાજ્ય સરકારે આજે સોમવારે મોડી સાંજે રાજ્યના 4 IASની બદલીનો હુકમ બહાર પાડ્યો છે. જેમાં રાજ્યના નવા પ્રિન્સિપાલ આરોગ્ય સચિવ તરીકે ધનંજય ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત નવા આરોગ્ય, મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશન કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણુંક કરાઈ છે. જ્યારે કે, નર્મદા વોટર રી-સોર્સીસ એન્ડ સપ્લાય તથા કલ્પસરના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે શમીના હુસૈનની વરણી કરવામાં આવી છે. ઉપરાંત સનદી અધિકારી આલોકકુમાર પાંડેને યુથ સર્વિસીસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીના કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Back to top button