ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

આજે છઠ્ઠું નોરતું: મા દુર્ગાની કાત્યાયની સ્વરૂપે પૂજા, આ મંત્રનો કરો જાપ

  • મહર્ષિ કાત્યાયને ત્રિદેવોને પોતાની તપસ્યાથી ખુશ કરીને માતાને પોતાની પુત્રી સ્વરૂપે માંગ્યા હતાં. ત્યારબાદ માતા દુર્ગાએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો, આથી તેમનું નામ દેવી કાત્યાયની પડ્યું.

Navratri 2023: નવરાત્રિના પર્વનો છઠ્ઠો દિવસ ખાસ કરીને વિવાહ યોગ્ય કન્યાઓ માટે ખૂબ જ ફળદાયી છે. માતાજીના કાત્યાયની સ્વરૂપની પૂજાથી માતાને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકાય છે. માન્યતા મુજબ વિવાહ યોગ્ય કન્યાઓ માતા કાત્યાયનીનું પૂજન કરી શકે છે. સહજ શ્રૃંગાર સામગ્રી તથા પૂજન સામગ્રીથી માતાનું પૂજન કરવામાં આવે તો તેમને યોગ્ય વર મળે છે. મા દુર્ગાના આ સ્વરૂપને સફળતા અને યશનું પ્રતીક માનવામાં આવે છે.

આ મંત્રથી માતાજીની આરાધના કરો

चंद्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥

ॐ देवी कात्यायन्यै नमः॥

આજે છઠ્ઠુ નોરતુઃ મા દુર્ગાની કાત્યાયની સ્વરૂપે પુજા, આ મંત્રનો કરો જાપ hum dekhenge news

કાત્યાયની માતાના આ સ્વરૂપ સાથે છે પૌરાણિક માન્યતા

મહર્ષિ કાત્યાયને ત્રિદેવોને પોતાની તપસ્યાથી ખુશ કરીને માતાને પોતાની પુત્રી સ્વરૂપે માંગ્યા હતાં. ત્યારબાદ માતા દુર્ગાએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો, આથી તેમનું નામ દેવી કાત્યાયની પડ્યું. માતા કાત્યાયનીની ઉપાસનાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેયમાં ફળની પ્રાપ્તિ થાય છે. સાધકોના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે. વિજયાદશમીના દિવસે માતા કાત્યાયનીએ મહિષાસુરનો વધ કર્યો હતો.

ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ માતાજીના આ સ્વરૂપની જ પૂજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.

આવું છે માનું સ્વરૂપ

મા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ ચમકીલું છે. તેમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચે તરફનો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે.

આજના શુભ મુહૂર્તો

બ્રહ્મ મુહૂર્તઃ 4.44થી 5.34
સવારનું મુહૂર્તઃ 5.09થી 6.25
અભિજિત મુહૂર્તઃ 11.43થી 12.28
વિજય મુહૂર્ત:1.59થી 2.045 (બપોરે)
ગોધૂલિ મુહૂર્ત : 5.47થી 6.12 (સાંજે)
સંધ્યા મુહૂર્તઃ 5.47થી 7.03

મા કાત્યાયનીનું પ્રિય પુષ્પ અને રંગ

મા કાત્યાયનીને લાલ રંગ અતિશય પ્રિય છે. આ દિવસે લાલ રંગના ગુલાબનું ફુલ માતાને અર્પિત કરવું જોઇએ. આમ કરવાથી મા ભગવતી પ્રસન્ન થાય છે. માતાને મધ અતિશય પ્રિય છે. માતાની પૂજામાં મધનો ભોગ લગાવવો જોઇએ. આમ કરવાથી વ્યક્તિત્વ નિખરે છે.

આ પણ વાંચોઃ માત્ર ભારત નહિ, વિદેશોમાં પણ છે માતાની શક્તિપીઠઃ આ દેશોના નામ અચરજ પમાડશે

Back to top button