ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

આજે પાંચમું નોરતુંઃ  મા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની કરો પૂજા

  • ત્રણેય લોકના સ્વામી ભગવાન શિવ અને મા પાર્વતીના પુત્ર કાર્તિકને ભગવાન સ્કંદ પણ કહેવામાં આવે છે, માટે ભગવાન સ્કંદની માતા હોવાના કારણે મા દુર્ગાના સ્વરૂપને સ્કંદમાતાના નામે ઓળખવામાં આવે છે

નવરાત્રિ 2023: મા શક્તિની ભક્તિ અને આરાધનાનો પર્વ આજે પાંચમા દિવસમાં પહોંચી ચૂક્યો છે. નવરાત્રિનો પાંચમો દિવસ મા સ્કંદમાતાનો હોય છે. સ્કંદમાતા ખૂબ જ સુંદર અને મોહક તેમજ મોક્ષ આપનાર છે. સ્કંદમાતાની સ્તુતિ કરવા માટે નીચે આપેલા મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રના જાપ કરવાથી સ્કંદમાતાની કૃપાદ્રષ્ટિ સદાય આપણી ઉપર રહે છે અને આપણા જીવનમાં સુખ અને શાંતિની શરૂઆત થાય છે.

સ્કંદમાતાનો મંત્ર

જે લોકો મા દુર્ગાના સ્કંદમાતાના રૂપની પૂજા કરે છે તેમને ઘણા લાભ થાય છે. આજના દિવસે માતાની પૂજા માટે જાતકોએ આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઇએ.

या देवी सर्वभू‍तेषु माँ स्कंदमाता रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

આજે પાંચમું નોરતુંઃ કરો મા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની પૂજા hum dekhenge news

કેમ કહેવાય છે સ્કંદ માતા?

ત્રણેય લોકના સ્વામી ભગવાન શિવ અને મા પાર્વતીના પુત્ર કાર્તિકને ભગવાન સ્કંદ પણ કહેવામાં આવે છે, માટે ભગવાન સ્કંદની માતા હોવાના કારણે મા દુર્ગાના સ્વરૂપને સ્કંદમાતાના નામે ઓળખવામાં આવે છે. તેઓ કમળના આસન પર બિરાજે છે તેથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સિંહ તેમનું વાહન છે.

સંતાન પ્રાપ્તિ માટે સ્કંદમાતાની પૂજા

દેવી ભાગવત પુરાણ અનુસાર, નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાનું વિધાન છે. દેવી સ્કંદમાતા નવદુર્ગાનું માતૃ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં, માતાએ જતાવ્યું છે કે તેના બાળકને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને દુષ્ટોનો અંત કરે છે, બાળકોનું રક્ષણ કરે છે.

સ્કંદમાતાની પૂજા વિધિ

નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાની પૂજા કરતા પહેલા કળશની પૂજા કરો. ત્યારબાદ મા દુર્ગા અને તેના સ્વરૂપની પૂજા આરંભ કરો. સૌથી પહેલા પાણીથી સ્નાન કરાવી, માને ફૂલ, માળા ચઢાવો. બાદમાં સિંદૂર, કુમકુમ, અક્ષત વગેરે લગાવો. પછી એક પાનમાં સોપારી, ઈલાયચી, પતાશા અને લવિંગ રાખીને ચઢાવી દો. ત્યારબાદ સ્કંદમાતાને ભોગમાં કેળા અને કોઇક મીઠાઈ અર્પણ કરો. ત્યારબાદ પાણી અર્પણ કરો. ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવી માના મંત્રનો જાપ કરો. ત્યારબાદ દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને છેલ્લે દુર્ગા માની સાથે સ્કંદમાતાની આરતી કરો.

આ પણ વાંચોઃ નવરાત્રિના 9 દિવસોનું મહત્ત્વ શું છે? આવો જાણીએ

Back to top button