ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, 7નાં મૃત્યુ

Text To Speech
  • તમિલનાડુના અરિયાલુર જિલ્લામાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીંના વિરાગલુરમાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નિકળી છે. આ આગ ફાટવાના કારણે પોલીસના કહ્યા મુજબ સાતનાં મૃત્યુ થયા છે.

તમિલનાડુમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ: તમિલનાડુના અરિયાલુર જિલ્લામાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીંના વિરાગલુરમાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નિકળી હતી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ થયા છે. પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે હાજર છે.

ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના બન્યા પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ચારે બાજુ આગ અને ધુમાડે ધુમાડો જ ફેલાયો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, ફટાકડાના ગોદામમાં અચાનક જ જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. વિસ્ફોટ બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી, જેને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઝારખંડના રાંચીમાં બજરંગ દળની બસ પર પથ્થરમારો, 10 ઘાયલ

Back to top button