વડાપ્રધાનને મળેલી ભેટ – સ્મૃતિચિહ્નની હરાજીની આવક નમામિ ગંગેને અપાશે
- NGMA ખાતે પ્રદર્શનમાં PMને આપવામાં આવેલી ભેટ-સ્મૃતિચિહ્ન પ્રદર્શિત
- નમામિ ગંગેના લાભાર્થે ભેટોની હરાજી કરવામાં આવશે : વડાપ્રધાન
વડાપ્રધાન તરીકે પોતાને મળેલી ભેટ-સોગાદોને પ્રદર્શિત કરીને તેની હરાજી કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પર સ્વયં નરેન્દ્ર મોદીએ આજે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (2 ઓક્ટોબરે) નવી દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (NGMA) ખાતે પ્રધાનમંત્રીને આપવામાં આવેલી ભેટ અને સ્મૃતિચિહ્નોની વિશાળ શ્રેણી દર્શાવતા પ્રદર્શન વિશે પોસ્ટ મૂકી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ એવા લોકો માટે વેબસાઇટ લિંક પણ શેર કરી છે. જેઓ વ્યક્તિગત રીતે NGMAની મુલાકાત લઈ શકતા નથી.
ભેટો અને સ્મૃતિચિહ્નો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને કલાત્મક વારસાનો પુરાવો : PM
Starting today, an exhibition at the @ngma_delhi will display a wide range of gifts and mementoes given to me over the recent past.
Presented to me during various programmes and events across India, they are a testament to the rich culture, tradition and artistic heritage of… pic.twitter.com/61Vp8BBUS6
— Narendra Modi (@narendramodi) October 2, 2023
વડાપ્રધાન મોદીએ પોસ્ટ મુકીને કહ્યું કે, આજથી, દિલ્હીના નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ ખાતે એક પ્રદર્શન મને તાજેતરના ભૂતકાળમાં આપવામાં આવેલી ભેટો અને સ્મૃતિચિહ્નોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરશે. ભારતભરમાં વિવિધ કાર્યક્રમો અને કાર્યક્રમો દરમિયાન મને પ્રસ્તુત કરવામાં આવે છે, તે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને કલાત્મક વારસાનો પુરાવો છે. હંમેશની જેમ, આ વસ્તુઓની હરાજી કરવામાં આવશે અને આવક નમામી ગંગે પહેલને સમર્થન આપશે. અહીં તેમની માલિકી મેળવવાની તમારી પાસે તક છે!
વધુ જાણવા માટે NGMAની મુલાકાત લો. જેઓ વ્યક્તિગત રીતે મુલાકાત લઈ શકતા નથી તેમના માટે વેબસાઇટની લિંક શેર કરી રહ્યો છું.
વેબસાઇટ લિંક : pmmementos.gov.in
આ પણ જુઓ: 2023નું મેડિસિન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક કેથલિન કેરિકો તથા વિઝમેનને ફાળે