ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકના શિવમોગ્ગામાં પથ્થરમારાની ઘટનામાં 40થી વધુની ધરપકડ

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે પથ્થરમારાની ઘટનાને લઈને જણાવ્યું હતું કે શિવમોગ્ગામાં પથ્થરમારાની ઘટનાના સંબંધમાં 40 થી વધુ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યા છે.

સિદ્ધારમૈયાએ કહ્યું કે કોઈપણ સમુદાયના ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ખલેલ પહોંચાડવી અને પથ્થરમારો કરવો એ કાયદાની વિરુદ્ધ છે. સરકાર આવી ઘટનાઓને સહન કરશે નહીં અને બદમાશો પર કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ અહીં પત્રકારોને કહ્યું “શિવમોગ્ગામાં પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ અને નિયંત્રિત છે, પોલીસ શાંતિ જાળવવા માટે જરૂરી પગલાં લઈ રહી છે”.

પથ્થરમારા પછી BJP ધારાસભ્યએ કર્યો હતો આક્ષેપ

શિવમોગ્ગાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય એસ. એન. ચન્નાબાસપ્પાએ ગઈકાલે સાંજે રાગી ગુડ્ડા વિસ્તારમાં પથ્થરમારાને કારણે નુકસાન પામેલા ઘરોની મુલાકાત લીધી હતી અને આક્ષેપ કર્યો હતો કે આ ઘટના પાછળ કેટલાક બહારના લોકો છે, જેમને અહીંના લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

ગૃહમંત્રીએ ઘટનાને લઈને શું કહ્યું?

બેંગલુરુમાં ગૃહમંત્રી પરમેશ્વરે પથ્થરમારાને એક નાની ઘટના ગણાવી અને કહ્યું કે પોલીસે તેને નિયંત્રણમાં લાવી દીધી છે અને શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ ખાતરી આપી હતી કે વહીવટીતંત્ર કોઈ અનિચ્છનીય બનાવ બનવા દેશે નહીં. તેમણે કહ્યું કે પોલીસે ચેતવણી આપી છે અને ભીડને વિખેરી નાખી છે અને પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ છે. કેટલાક માસ્ક પહેરેલા બદમાશો દ્વારા પથ્થરમારો કરવાના પ્રશ્ન પર પરમેશ્વરાએ કહ્યું કે તેમની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શિવમોગા પોલીસ અધિક્ષક જી. ના. મિથુન કુમારે કહ્યું કે શિવમોગ્ગાના રાગી ગુડ્ડા વિસ્તારમાં સ્થિતિ શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. ઈદ મિલાદ-ઉન-નબીના જુલુસ દરમિયાન તણાવ અને કથિત પથ્થરમારાની ઘટનાઓને પગલે વિસ્તારમાં પ્રતિબંધિતના આદેશો લાદવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટનામાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા છે, જ્યારે કેટલીક સંપત્તિઓને નુકસાન પણ થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે ઇજાગ્રસ્તો અને નુકસાન પામેલી મિલકતોના માલિકોને ફરિયાદ કરવા કહ્યું છે.” અમે આ ઘટનામાં સામેલ કેટલાક લોકોની અટકાયત કરી છે. આ ઘટનાનો વીડિયો, સીસીટીવી ફૂટેજ અને ડ્રોન કેમેરા ફૂટેજ છે, જેના દ્વારા સંડોવાયેલા લોકોને પકડવામાં આવશે અને તેમને સજા થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પણ વાંચો: ઝારખંડ અને કેરળમાં ભારે વરસાદને કારણે જાનમાલને ભારે નુકસાન

Back to top button