ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

INDIA કરતાં RSS માટે ભારત કેમ વધુ મહત્વનું છે? જાણો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ ગયા અઠવાડિયે શનિવારે (2 સપ્ટેમ્બર, 2023), સર સંઘ ચાલક મોહન ભાગવતે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે દેશના લોકોને ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવાની વિનંતી કરી હતી. આ પછી તરત જ અચાનક એક્શનમાં આવી ગયેલી RSSની રાજકીય પાર્ટી ભાજપે ઉતાવળમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામ પાછળ ભારત શબ્દનો ઉપયોગ શરૂ કર્યો.

ભારત શબ્દનો ઉપયોગઃ જ્યારે સર સંઘ પ્રમુખે ભારત શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે એવું નહોતું કે તેઓ વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ ટિપ્પણી કરી રહ્યા હતા. 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારથી, આરએસએસ હંમેશા  ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરે છે.

સંસ્કૃતિ અને ભાષાઃ એટલે કે, આઝાદી પહેલા પણ, આરએસએસ અને તેના અનુયાયીઓ ભારત શબ્દનો ઉપયોગ કરતા આવ્યા છે કારણ કે તેમને લાગે છે કે આ શબ્દ તેમને તેમની સંસ્કૃતિ અને ભાષા સાથે વધુ ઊંડાણથી જોડે છે. આ લાગણી ઈન્ડિયા શબ્દ સાથે જોડાયેલી નથી.

આ પણ વાંચોઃ ભારતમાં G20 કોન્ફરન્સમાં ચીને શું કહ્યું? જાણો શા માટે ભારત નહીં આવે રાષ્ટ્રપતિ શી જિનપિંગ

Back to top button