ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Asia Cup 2023 : કાલે નેપાળ સાથે ટકરાતા પહેલા ભારતને મોટો ઝટકો, સ્ટાર બોલર નહીં રમે મેચ

Text To Speech

એશિયા કપ 2023 વચ્ચે ભારતીય ટીમને ટુર્નામેન્ટમાં જ મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પોતાના ઘરે પરત ફર્યો છે. ભારતીય ટીમ સોમવારે નેપાળ સામે તેની બીજી મેચ રમવાની છે. બુમરાહ આ મેચમાં નહીં રમે. જો કે આ દરમિયાન સારા સમાચાર એ છે કે બુમરાહ ટૂંક સમયમાં ફરીથી ટીમ સાથે જોડાશે. તે નેપાળ સામેની મેચ નહીં રમે. પરંતુ તે પછી તે સુપર-4 માટે ભારતીય ટીમ સાથે જોડાશે. અહેવાલ છે કે બુમરાહ અંગત કારણોસર ઘરે પરત ફરી રહ્યો છે.

બુમરાહ ઈજા બાદ ટીમમાં પરત ફર્યો છે

ઉલ્લેખનીય છે કે, બુમરાહ હાલમાં જ ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. બુમરાહે આ વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડમાં તેની પીઠની વારંવારની સમસ્યા માટે સર્જરી કરાવી હતી અને ત્યારથી તે ફરીથી ફિટનેસ મેળવવા માટે એનસીએમાં રિહેબ પર હતો. આ પછી તેને આયર્લેન્ડ પ્રવાસ માટે સીધો T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બુમરાહને એશિયા કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમે શનિવારે (2 સપ્ટેમ્બર) પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમી હતી, પરંતુ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ વરસાદના કારણે બોલિંગ થઈ શકી ન હતી.

જવાબદારી શમી અને સિરાજના ખભા પર રહેશે

જોકે બુમરાહ નેપાળ સામેની મેચ બાદ ભારતીય ટીમ સાથે જોડાશે. પરંતુ સોમવારે યોજાનારી નેપાળ સામેની મેચમાં બુમરાહના બદલે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. શમીને પાકિસ્તાન સામે તક મળી ન હતી. આવી સ્થિતિમાં શમી સિવાય નેપાળ સામેની મેચમાં ભારતીય ફાસ્ટ બોલિંગની કમાન મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરના ખભા પર હોઈ શકે છે. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકામાં જોવા મળશે.

એશિયા કપ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન , અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને પ્રખ્યાત કૃષ્ણ.

ટ્રાવેલિંગ રિઝર્વ: સંજુ સેમસન

Back to top button