ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવસારીમાં બેફામ નબીરાએ સર્જયો અકસ્માત, 2 કાર, 3 ટુ-વ્હીલરને અડફેટે લીધા

Text To Speech
  • નવસારીમાં બેફામ નબીરાએ સર્જયો અકસ્માત
  • 2 કાર, 3 ટુ-વ્હીલરને અડફેટે લીધા
  • કારમાંથી બિયરના ખાલી ટીન મળ્યા

રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં નશામાં ધૂત નબીરાઓ આ અકસ્માત સર્જતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવા જ એક નશામાં ધૂત નબીરાએ નવસારીમાં અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે. જેમાં નવસારીના શહેરના ખત્રીવાડ વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે રાત્રે 2 વાગ્યે પૂરપાટ ઝડપે જતી કારે બે કાર અને 3 ટુ-વ્હીલરને અડફેટે લીધા હોવાનું જાણવા મળેલ છે.

ગતરાત્રે નબીરાએ સર્જ્યો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર,નવસારીમાં મોડી રાત્રે 2 વાગ્યે જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બેફામ કાર હંકારનારા ચાલકે બલેનો કારને બે કાર અને ત્રણ ટુ-વ્હીલર સાથે ટક્કર મારી હતી. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા બાદ લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક કાર મૂકીને જ ફરાર થઈ ગયો હતો.

પોલીસની ટીમ દોડી આવી
સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત કરનાર કાર ચાલક NRI હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

નડિયાદમાં પણ નબીરાએ સર્જ્યો હતો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ નડિયાદના કૉલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે કારના ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી. ભારે ચહેલપહેલવાળા વિસ્તારમાં અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લારીચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો અકસ્માતની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચો : ગુજરાત: શિક્ષકનું અકસ્માતમાં મોત થતા HCએ વીમા કંપનીને રૂ.90 લાખ વળતર ચૂકવવા આદેશ

Back to top button