ટોપ ન્યૂઝનેશનલ

નૂહમાં ફરી શોભા યાત્રા કાઢવા પર અડગ હિન્દુ સંગઠનો, હરિયાણા પોલીસે રોકવા માટે લીધો મોટો નિર્ણય

હરિયાણાના નૂહમાં હિંસા બાદ ફરીથી બ્રજમંડળ શોભાયાત્રા કાઢવાની કવાયત ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિંદુ સંગઠન 28 ઓગસ્ટે આ શોભાયાત્રા કાઢશે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી નથી. શોભાયાત્રાને રોકવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. નૂહના ડેપ્યુટી કમિશનર ધીરેન્દ્ર ખડગતાએ કહ્યું કે અમે બ્રજમંડળની શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો આ યાત્રા પર અડગ છે. પરંતુ અમે આ વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે.

Nuh violence
Nuh violence

હિંસાના કારણે યાત્રા અગાઉ અધૂરી રહી ગઈ હતી

સર્વ હિન્દુ સમાજના બેનર હેઠળ બ્રજમંડળ શોભાયાત્રા યોજાશે. આ દરમિયાન અનેક સામાજિક અને ધાર્મિક આગેવાનો જોડાશે. 52 પાલના પ્રમુખ અરુણ ઝૈલદારે કહ્યું કે, બ્રજમંડળની ધાર્મિક યાત્રા એક ઐતિહાસિક યાત્રા છે, જે 31મી જુલાઈએ થયેલી હિંસાને કારણે અધૂરી રહી ગઈ હતી. પરંતુ હવે 28 ઓગસ્ટે મેવાતના સર્વ હિન્દુ સમાજ દ્વારા ફરી આ યાત્રા કાઢવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદે આ યાત્રાને સંગઠિત સ્વરૂપ આપ્યું હતું. તે હજુ પણ સહાયક સંસ્થા તરીકે અમારી સાથે રહેશે. તેમણે કહ્યું કે G20 જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો અને મેવાતમાં તોફાનીઓ પર પોલીસ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને અમે વહીવટીતંત્ર સાથે ચર્ચા કરી શકીએ છીએ અને સરઘસમાં ભાગ લેનારા લોકોની સંખ્યા પર વિચાર કરી શકીએ છીએ.

Nuh violence
Nuh violence

બહારના હિન્દૂ સમાજને આમંત્રણ નહિ અપાઈ

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ ડો.સુરેન્દ્ર કુમાર જૈને જણાવ્યું હતું કે આ વખતે મેવાતના હિન્દુ સમાજે સંકલ્પ સાથે યાત્રા કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વિશ્વ હિંદુ પરિષદ મેવાત બહારના હિંદુ સમાજને આમંત્રણ નહીં આપીને સમગ્ર રાજ્ય માટે કાર્યક્રમની જાહેરાત કરી રહી છે. આ દિવસે રાજ્યના દરેક બ્લોકમાં શિવ મંદિરમાં જલાભિષેકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ત્યાંનો હિન્દુ સમાજ ભાગ લેશે. આ કાર્યક્રમ દ્વારા ભગવાન શંકરને હુલ્લડખોરોને બુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યમાં હિન્દુ સમાજના કાર્યક્રમો અને યાત્રાઓમાં કોઈ અડચણ ઉભી ન કરે.

હાલ નૂહમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરાઈ

તમને જણાવી દઈએ કે નૂહ પ્રશાસને કોઈપણ પ્રકારની હિંસા અને અપ્રિય ઘટનાને ટાળવા માટે 25 થી 29 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા અને બલ્ક એસએમએસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ દરમિયાન માત્ર કોલિંગ સેવા કાર્યરત રહેશે.

Back to top button