ટ્રેન્ડિંગનેશનલ

ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાય સંહિતા બનશે; CRPC સુધારો બિલ લોકસભામાં રજૂ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં CrPC સંશોધન બિલ રજૂ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે ભારતીય સુરક્ષા સંહિતા બિલ (સીઆરપીસી) પર લોકસભામાં જણાવ્યું કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા 3 કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. IPC (ભારતીય દંડ સંહિતા) ને ભારતીય ન્યાયિક સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 CrPC ને બદલે અને ભારતીય પુરાવા અધિનિયમ 2023ને પુરાવા અધિનિયમ દ્વારા બદલવામાં આવ્યું છે.

અમિત શાહે કહ્યું કે નવી CrPCમાં 356 ધારાઓ હશે જે પહેલા 511 હતી. તેમણે કહ્યું કે, ગુલામીના સંકેતો નાબૂદ કરીને નવો કાયદો લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે ન્યાય બહુ મોડો મળે છે. કોર્ટની કાર્યવાહીને ડિજીટલ કરશે. સંપૂર્ણ ટ્રાયલ હવે વીડિયો કૉલ દ્વારા કરવા માટે તૈયાર છે. પુરાવા એકત્ર કરતી વખતે વીડિયોગ્રાફી જરૂરી રહેશે. દેશની સમગ્ર કાયદો અને વ્યવસ્થા બદલાઈ રહી છે. જે કલમોમાં સાત વર્ષથી વધારે સજા છે, ત્યાં ફોરેન્સિક ટીમો તે વિભાગોમાં પુરાવા એકત્રિત કરવા માટે ત્યાં પહોંચશે.

આ પણ વાંચો-મણિપુર હિંસા: અમેરિકન સિંગરે મણિપુર મુદ્દે પીએમ મોદીને કર્યું સમર્થન, જાણો શું કહ્યું?

અમિત શાહે કહ્યું કે પહેલીવાર કોઈ મહિલા સાથે પોતાની ઓળખ બદલીને અથવા છુપાવીને સેક્સ માણવું ગુનો જાહેર કરવામાં આવ્યો છે.

CrPC સુધારા બિલ વિશે મહત્વની બાબતો
પીનલ કોડને બદલે ભારતીય ન્યાયિક સંહિતા
CrPCને બદલે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા
એવિડન્સ એક્ટ હવે ઈન્ડિયન એવિડન્સ એક્ટ
રાજદ્રોહ કાયદો નાબૂદ કરવાની દરખાસ્ત

અમિત શાહે કહ્યું કે આ ત્રણેય કાયદાને રિપ્લેસ કરી તેની જગ્યાએ ત્રણ નવા કાયદા બનાવાશે. તેની ભાવના ભારતીયોને અધિકાર આપવાની હશે. તેનો ઉદ્દેશ્ય કોઇને દંડ આપવાનો નહીં હોય. તેનો ઉદ્દેશ્ય લોકોને ન્યાય આપવાનો રહેશે. તેમણે કહ્યું કે 18 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો, ભારતની સુપ્રીમકોર્ટ, 22 હાઈકોર્ટ, ન્યાયિક સંસ્થાનો, 142 સાંસદો અને 270 ધારાસભ્યો ઉપરાંત પ્રજાએ પણ આ બિલ અંગે સૂચન આપ્યા હતા. ચાર વર્ષ સુધી તેના પર ઘણી ચર્ચા થઈ. અમે તેના માટે 158 બેઠકો કરી હતી.

રાજદ્રોહના કાયદો રદ્દ કરાશે પરંતુ સરકારના નવા કાયદામાં જોગવાઈઓ ઉમેરાઈ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આઈપીસી અંગે નવું બિલ દેશદ્રોહના અપરાધને સંપૂર્ણપણે રદ કરી દેશે. ભારતીય ન્યાય સંહિતા (New IPC)માં ભાગલાવાદ, સશસ્ત્ર વિદ્રોહ, વિનાશક પ્રવૃત્તિઓ, ભાગલાવાદી પ્રવૃત્તિઓ કે ભારતની સંપ્રભુતા કે એકતા અને અખંડતાને ખતરામાં નાંખતા કૃત્યો પર એક નવી જોગવાઈ ઉમેરાઈ છે.

આ પણ વાંચો- સંસદમાં પીએમ મોદીએ મરચા મુદ્દે ગાંધી પરિવારને ઘેર્યો હતો, જાણો શું છે લાલ અને લીલા મરચાનું રહસ્ય

Back to top button