ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ : આજે તમે AMTS- BRTSમાં મુસાફરી કરવાના છો તો ખાસ વાંચો, આટલા રૂટ છે બંધ

Text To Speech

આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરો મોહરમનો તહેવાર મનાવી રહ્યાં છે.મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે.જેથી મોહરમ પર આજે દેશભરમાં શોકના જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આજે શહેરના ભાગોમાં મોહરમના જુલૂસને કારણે BRTS અને AMTS રૂટમાં ફેરફારની જાહેરાત કરી છે.

98 જેટલા રૂટની કુલ 583 જેટલી બસોના રૂટમાં ફેરફાર

તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી AMC દ્વારા શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યાં છે તો કેટલાક રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. AMC દ્વારા 98 જેટલા રૂટની કુલ 583 જેટલી બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે 16 બીઆરટીએસની બસોને બંધ કરી દેવાઇ છે. તો 7 જેટલા રૂટને ટૂંકાવી દેવામાં આવ્યા છે. આજે બપોરના 01:30 કલાકથી સૂચના ન મળે ત્યાં સુધી બી. આર. ટી. એસ. ના રૂટમાં આ ફેરફાર કરાયો છે.

આ પણ વાંચો : રાજ્યમાં 31 કોચિંગ ક્લાસીસ ઉપર GST વિભાગે બોલાવી તવાઈ, આટલા બેનામી વ્યવહારો ઝડપાયા

 AMTS રુટ-humdekhengenews

જાણો બદલાયેલા રુટની વિગતો

જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે શહેરમાં તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી એલિસબ્રિજ તિલક બાગથી ખમાસા, આસ્ટોડિયા, રાયપુર દરવાજા, સારંગપુર, રખિયાલ રૂટ પર BRTS બસ સ્ટેન્ડ અને બસો બંધ રહેશે, તેમજ 101 અને 201 નંબરના રૂટ સંપૂર્ણ બંધ રહેશે.લાલ દરવાજા તરફ આવનારી AMTS બસોના રૂટ બદલવામા આવ્યો છે. મણિનગર, ઇસનપુર, વટવા તરફથી આવતી એસટી બસો મજૂર ગામ થઈ જશે,સરદાર બ્રિજ પાલડી થઈ એલિસ બ્રિજથી લાલ દરવાજા જશે. તેમજ સારંગપુર, આસ્ટોડિયા અને તિલકબાગ તરફ જતી બસો કાલુપુર સુધી જ જશે, જ્યારે એરપોર્ટની બસો માત્ર કાળુપુર સુધી જ જશે. તો ઇન્કમટેક્સથી નેહરુ બ્રિજ થઈને લાલ દરવાજા તરફ બસો ચાલુ રહેશે.

આ પણ વાંચો : breaking news: ભાજપે રાષ્ટ્રીય પદાધિકારીઓના નામ કર્યાં જાહેર, જાણો નવી ટીમમાં કોને કોને સામેલ કરાયા ?

Back to top button