ટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાનથી આવેલી સીમાનો પ્રેમી ઘરેથી થયો ગાયબ, સીમાને ડિટેન્શન સેન્ટર મોકલવાની શક્યતા

  • સીમાનો પ્રેમી સચિન ઘરેથી ગુમ થઈ ગયો
  • ATSએ પૂછપરછ માટે લઈ ગયો હોવાનું અનુમાન
  • સીમાને ડિટેન્શન સેન્ટર મોકલવાની શક્યતા

સીમા હૈદર પોતાના બાળકો સાથે પ્રેમીને કારણે પાકિસ્તાનની બોર્ડર ક્રોશ કરીને આવી છે. જેને લઈ છેલ્લા કેટલાક દિવસથી તપાસ કરવામાં આવી રહી છે. જેને લઈ હવે આજે એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં સીમાનો પ્રેમી ઘરેથી ગાયબ હોવાનું સામે આવ્યું છે. ATS તેને પોતાની સાથે લઈ ગઈ હોવાની આશંકા છે. જો કે,આ મામલે માનવામાં આવી રહ્યું છે કે, આધાર કાર્ડ ફ્રોડ કેસમાં ATS તેની પૂછપરછ કરી શકે છે. મહત્વનું છે કે, આ મામલે હાલ પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી.

સીમાને ટૂંક સમયમાં ડિટેન્શન સેન્ટર મોકલવાની શક્યતા

આ પહેલા રવિવારે પણ નોઈડા પોલીસ સચિનને ​​બુલંદશહેર લઈ ગઈ હતી. ત્યાં આધાર કાર્ડમાં છેડછાડ કરનારા જનસેવા કેન્દ્રના સંચાલક બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ સરહદે પાકિસ્તાન મોકલવાની તૈયારી કરી રહી છે. તેને ટૂંક સમયમાં ડિટેન્શન સેન્ટર મોકલી શકાય છે. સીમાનું આઈડી, તેના અને બાળકોના પાસપોર્ટ પાકિસ્તાન એમ્બેસીને મોકલી દેવામાં આવ્યા છે. એજન્સી આ દસ્તાવેજો પાકિસ્તાન સરકારને મોકલશે અને બોર્ડર પર રિપોર્ટ લેશે.જો પાકિસ્તાન સરકાર માને છે કે સીમા તે દેશની નાગરિક છે તો જ તેને દૂતાવાસને સોંપવામાં આવશે.

આઈડી કાર્ડ જન્મ સમયે જ બને છે, સીમા હૈદરે ગયા વર્ષે જ કેમ બનાવ્યું? UP ATSએ સવાલો ઉઠાવ્યા

આધાર કાર્ડ સાથે છેડછાડની નક્કર માહિતી

આ સિવાય યુપી ATSને સીમાના આધાર કાર્ડ સાથે છેડછાડની નક્કર માહિતી મળી છે. બુલંદશહેરના જનસેવા કેન્દ્ર ચલાવતા બે ભાઈઓએ આ છેડછાડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જનસેવા કેન્દ્રમાંથી સીમાના ખાતામાં કેટલાક પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ FIRમાં સચિન-સીમા વિરુદ્ધ બનાવટી બનાવટનો કેસ વધારી શકે છે. જેમાં સીમા અને સચિનને ​​7 વર્ષની સજા થઈ શકે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની સરહદ પાર કરી ભારત આવેલી સીમા હૈદરે રાષ્ટ્રપતિ મુર્મુ પાસે લગાવી મદદની ગુહાર 

ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર લેશે નિર્ણય

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ATS સચિન અને તેના પરિવારના અન્ય લોકોની પણ પૂછપરછ કરી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર,ગાઝિયાબાદની લેબમાં મોકલવામાં આવેલા મોબાઈલમાંથી ડેટા રિકવર કરવામાં વધુ દિવસો લાગશે નહીં.આ પુરાવો પણ ટૂંક સમયમાં મળી જશે.જો તપાસમાં કોઈ સરહદી જાસૂસ મળી આવશે તો તેના પર ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર નિર્ણય લેશે.

આ પણ વાંચો : અમદાવાદમાં બિસ્માર રસ્તા અને ટ્રાફિકને લઈ હાઈકોર્ટનું કડક વલણ, “કહ્યું કાયદાનો ડર બેસાડવાનું કામ સરકારનું”

Back to top button