ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : વધુ એક નબીરાનું કારસ્તાન, નશાની હાલતમાં સર્જો અકસ્માત

Text To Speech

અમદાવાદમાં થોડા દિવસો પહેલા જ ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ લેવાયા હતા. આ ઘટનાને હજું થોડા જ દિવસો વિત્યા છે. એટલામાં તો આ પ્રકારની વધુ એક ઘટના શહેરમાંથી સામે આવી છે. શહેરના મણીનગરમાં દારૂ પીને નશામાં વાહન ચલાવી કાર અકસ્માત સર્જ્યો છે.

અમદાવાદમાં  નબીરાએ સર્જો અકસ્માત

મળતી માહિતી મુજબ ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર ચાલકે નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો.ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારીને દિવાલમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત સમયે બાકડા પર લોકો બેઠેલા હતા, જે કારને દૂરથી આવતી જોઈને ભાગી જતા તેમના જીવ બચી ગયા હતા.

 

કારમાંથી દારુની બોટલ મળી 

આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા ઇસનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી છે. જેથી પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત કરી છે.

 અકસ્માતમાં જાનહાની નહીં

મહત્વનું છે કે તથ્ય પટેલનો કાર અકસ્માત થયાના ત્રણ દિવસમાં આ બીજી મોટી ઘટના સામે આવી છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે અવસાનના સમાચાર મળ્યા નથી.

 આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Back to top button