વર્લ્ડ

પાક. PM શહેબાઝ શરીફ અને તેમનો પરિવાર કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં નિર્દોષ જાહેર

પાકિસ્તાનની એક અદાલતે ગુરુવારે વડાપ્રધાન શહેબાઝ શરીફ અને તેમના પરિવારને કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી શહેબાઝ વિરુદ્ધ કોર્ટ સમક્ષ કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. કોર્ટે નુસરત શેહબાઝ (પત્ની), હમઝા (પુત્ર) જવેરિયા અલી (પુત્રી), મુહમ્મદ ઉસ્માન, મસરૂર અનવર, શોએબ કમર, કાસિમ કયુમ, રશીદ કરામત, અલી અહેમદ અને નિસાર સહિતના તમામ સહ-આરોપીઓની સાથે શેહબાઝ શરીફને પણ જામીન આપ્યા છે.

શેહબાઝની બીજી પુત્રી રાબિયાને ભાગેડુ જાહેર 

અદાલતના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટે વડા પ્રધાન અને તેમના પરિવારના સભ્યોને નિર્દોષ જાહેર કર્યા છે કારણ કે NAB વિદેશમાં, ખાસ કરીને યુનાઇટેડ કિંગડમમાં લાખો ડોલરની ઉચાપતના સંબંધમાં શકમંદો સામે કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટે વડાપ્રધાનની બીજી પુત્રી રાબિયા ઈમરાનને ઘોષિત અપરાધી જાહેર કરી અને તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આ કેસમાં નામ ખુલ્યા બાદ રાબિયા યુકે ગઈ હતી.

ઈમરાન ખાનના કાર્યકાળ દરમિયાનનો કેસ 

NAB દ્વારા 2020માં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) સરકારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ શરીફ પરિવારે આ મામલાને રાજકીય ઉત્પીડન ગણાવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની વિશેષ અદાલતે શાહબાઝને 16 અબજ પાકિસ્તાની રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં પણ નિર્દોષ જાહેર કર્યા હતા. 10 જુલાઈએ તેમના પુત્ર સુલેમાન શાહબાઝને પણ આ જ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

જાવેદ બાજવા પર આરોપો

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના વરિષ્ઠ નેતા બેરિસ્ટર એતઝાઝ અહસને આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને લશ્કરી સંસ્થાએ શરીફ પરિવારને તેમની સામેના ભ્રષ્ટાચારના કેસોમાં સજાથી બચાવ્યા હતા. અહેસાને કહ્યું કે બાજવા સાહેબે શરીફ પરિવારને કેસોમાં સજાથી બચાવ્યા છે અને તેઓએ મોટો ગુનો કર્યો છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન શેહબાઝ, તેમના મોટા ભાઈ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને મરિયમ નવાઝ શરીફ સામેના કેસ ખુલ્લા અને બંધ હતા અને તેમની સજા સ્પષ્ટ હતી પરંતુ ટોચના માણસે તેમને બચાવ્યા હતા

Back to top button