ગુજરાત

મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનાર લોકોને એક જ મહિનામાં ફાંસી આપો: ઈસુદાન ગઢવી

Text To Speech

અમદાવાદ: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી એક ગંભીર બાબત પર જણાવ્યું કે, ભાજપ શાસિત મણીપુર રાજ્યમાં કેટલાક દરિન્દાઓ દ્વારા જે રીતે બે મહિલાઓને લઈ જવામાં આવી રહી છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, તે જોઈને આપણા રોમ રોમમાં રોષ જાગી નીકળે છે. કઈ રીતે આવી ઘટનાઓ ઘટવાની શરૂ થઈ? મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તેને જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. દુઃખની વાત એ છે કે આ વિડીયો બે મહિના જુનો હોવાનું કહેવાય છે અને હજી સુધી કોઈ પકડાયા નથી.

નરેન્દ્ર મોદીજીએ તાત્કાલિક ધોરણે મણીપુરની મુલાકાત લેવી જોઈએ: ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કહેવા માગું છું કે, તમારા રાજમાં મહિલાઓ સાથે ખૂબ જ દુર્વ્યવહાર થઈ રહ્યા છે, તો આને ખાલી વખોડવાને બદલે એક્શન લો. તમારે મણીપુરની મુલાકાત લેવી જોઈએ. મણીપુરમાં પાછલા કેટલાક દિવસોમાં કેટલાય લોકોની હત્યાઓ થઈ ગઈ છે. મહિલાઓ સાથે આવી બરબરતા કોઈપણ પાર્ટીના શાસનમાં કે કોઈપણ રાજ્યમાં થાય તે ચલાવી ન લેવાય. એ મહિલાઓના પરિવાર પર શું વીતી હશે.

મણીપુરમાં પાછલા કેટલાક દિવસોમાં કેટલાય લોકોની હત્યા થઈ ગઈ છે: ઈસુદાન ગઢવી

મારી નરેન્દ્ર મોદીજીને વિનંતી છે કે મણીપુરના મુખ્યમંત્રીને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે. અને એવા સખત પગલા લેવામાં આવે કે આવનારા એક જ મહિનામાં તમામ દરિંદાઓને ફાંસી આપવામાં આવે. મારી એક માંગે પણ છે કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.

આ પણ વાંચો : બાટવાનો ખારો ડેમ ઓવરફ્લો થતાં માંગરોળ-માણવદરના ગામોમાં ભરાયા ગળાડૂબ પાણી

Back to top button